મુંબઇઃ મહારાષ્ટ્રમાં પ્રિ મોનસુનના પગલે મુંબઈમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ના નીકળવા પણ અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પાછલા 72 કલાકમાં 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો મુંબઈમાં ભારે પવન સાથે વરસાદના કારણે જનજીવન ઠપ બન્યું હતું. સ્કાઈમેટે પણ મુંબઈમાં બારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે.
તો આગલા બે દિવસમાં મોનસૂન ગોવા પહોંચે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે. સરકારે કહ્યું છે કે મોનસૂન વેગ પકડી શકે છે અને કેરળ તટીય કર્ણાટક કોંકણ અને ગોવામાં આગામી સાતમી જૂનથી વરસાદનો પ્રારંભ થઈ શકે છે.
મહારાષ્ટ્રમાં વરસાદની અસર રેલવે અને એરપોર્ટ પર પણ જોવા મળી. રેલવેની કેટલીક ટ્રેનો મોડી પડી હતી. જ્યારે મૂંબઈ એરપોર્ટ પર 18 ફ્લાઈટ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.