સતત વધતા જતા કોરોના કેસને કારણે મુંબઈમાં કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. તેનો અર્થ એ છે કે મુંબઈમાં એક જગ્યાએ ભીડ એકઠી થઈ શકશે નહીં. જાણકારીના આધારે આ આદેશ 30 સપ્ટેમ્બર સુધી અમલી રહેશે.
વધ્યું કોરોના સંક્રમણ
મુંબઈમાં કલમ 144 લાગૂ કરવાનો આદેશ
30 સપ્ટેમ્બર સુધી કાયદો રહેશે લાગૂ
દેશભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોની કોશિશ છતાં કોરોના સંક્રમણ અટકવાનું નામ લઈ રહ્યું નથી. મુંબઈમાં પણ સ્થિતિ સુધરવાના બદલે બગડી રહી છે. આ કારણે અહીં 30 સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગૂ કરવાનો આદેશ અપાયો છે. આ આદેશ અનુસાર હવે મુંબઈમાં કોઈ પણ જગ્યાએ ભીડ એકઠી થઈ શકશે નહીં.
NO need to PANIC
The order issued under section 144 CrPC is only an extension of the previous order issued on 31st August.
No new restrictions have been imposed by @MumbaiPolice .
મુંબઈમાં કલમ 144 લાગૂ થઈ ચૂકી છે. 31 ઓગસ્ટથી લાગૂ કરવામાં આવી હતી. પરંતુ હવે આ આદેશને 30 સપ્ટેમ્બર સુધી લંબાવાયો છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરે એ આ આદેશ આવ્યા બાદ તેના સંબંધિત ટ્વિટ કરી છે અને કહ્યું છે કે કોઈએ ગભરાવવાની જરૂર નથી. મુંબઈમાં કલમ 144 પહેલાંથી લાગૂ છે.
मुंबई में आज 2,389 नए #COVID19 मामले और 43 मौतें दर्ज की गई। मुंबई में मामलों की कुल संख्या बढ़कर 1,78,275 हो गई, जिसमें 32,849 सक्रिय मामले, 1,36,739 रिकवरी और 8,320 मौतें शामिल हैं : बृहन्मुंबई नगर निगम (BMC) pic.twitter.com/j3csBHegHo
મળતી માહિતી અનુસાર મુંબઈ પોલિસની તરફથી જાણકારી મળી છે કે આ રૂટિન ઓર્ડર છે. અનલોકના નિયમોમાં કોઈ ફેરફાર કરાયો નથી. અનલોક સરકારી આદેશ અનુસાર કાયમ રહેશે. કોઈ નવું લોકડાઉન આવ્યું નથી.