જે લોકોની આંખો ખરાબ થઈ છે.તેમણે એક સંસ્થાના માધ્યમથી સંચાલિત મુઝફ્ફરપુર આઈ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાયું હતું.અહીં 15 દર્દીઓની આંખો કાઢવામાં આવી હતી.
મોતિયાની સર્જરી બાદ 27 લોકોને આંખમાં ગંભીર ચેપ લાગ્યો
જેને લઈને 15 દર્દીઓની આંખો કાઢવામાં આવી
NHRCએ બિહાર સરકારને આ અહેવાલો પર નોટિસ મોકલી
Bihar| Multiple patients lose eyesight following cataract surgery at local eye hospital in Muzaffarpur
As per yesterday's info, 4 patients got their eyes removed at the Muzaffarpur Eye Hospital & 3 out of 6 admitted patients,at SKMCH: District civil surgeon Dr Vinay Kumar Sharma pic.twitter.com/7O38I3LEuO
મુઝફ્ફરપુરની એક હોસ્પિટલમાં મોતિયાની સર્જરી બાદ 27 લોકોને આંખમાં ગંભીર ચેપ લાગ્યો
બિહારના મુઝફ્ફરપુરની એક હોસ્પિટલમાં મોતિયાની સર્જરી બાદ 27 લોકોને આંખમાં ગંભીર ચેપ લાગ્યો હતો, જેના કારણે 15 દર્દીઓની આંખો કાઢી નાખવી પડી હતી. આ ઘટના 22 નવેમ્બરના રોજ શહેરના જુરાન છપરા વિસ્તારની આંખની હોસ્પિટલમાં બની હતી. આ ઘટના બાદ હવે હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. આ સાથે જ બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ તપાસના આદેશ આપ્યા છે.
NHRC એ બુધવારે બિહાર સરકારને આ અહેવાલો પર એક નોટિસ મોકલી
નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) એ બુધવારે બિહાર સરકારને એવા અહેવાલો પર એક નોટિસ મોકલી છે કે કેટલાક દર્દીઓની મોતિયાની સર્જરી બાદ તેમની આંખો કથિત રીતે કાઢી નાખવામાં આવી હતી. NHRCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે એક મીડિયા અહેવાલની સ્વ-સંજ્ઞાન લીધી છે કે 22 નવેમ્બરના રોજ મુઝફ્ફરપુર આંખની હોસ્પિટલમાં મોતિયાની શસ્ત્રક્રિયા બાદ 'શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (SKMCH)માં દર્દીઓની આંખો દૂર કરવી પડી હતી'.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જો મિડીયા રિપોર્ટમાં આવેલી ખબર સાચી છે. તો માનવ અધિકારોના ઉલ્લંઘનનો એક ગંભીર મુદ્દો છે.
આયોગે બિહાર સરકારના મુખ્ય સચિવને નોટિસ પાઠવીને રિપોર્ટ માંગ્યો
કમિશને કહ્યું, 'મેડિકલ નિયમો પ્રમાણે એક ડૉક્ટર વધુમાં વધુ 12 સર્જરી કરી શકે છે, પરંતુ આ કિસ્સામાં ડૉક્ટરે 65 દર્દીઓની સર્જરી કરી છે. આ રીતે તબીબી નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક આંખની શસ્ત્રક્રિયા કરવી એ ગંભીર ચિંતાનો વિષય છે. આયોગે બિહાર સરકારના મુખ્ય સચિવને નોટિસ પાઠવીને વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.
ઓપરેશનના ચાર કલાક બાદ મારી આંખમાં દુખાવો શરૂ થવા લાગ્યો.
શિવહર જિલ્લામાં સોનવર્ષા ગામના મૂળ નિવાસી અને ડાબી આંખમાં ગંભીર સંક્રમણથી પીડિત રામ મૂર્તિ સિંહે કહ્યું કે, અમને ખબર પડી કે, 22 નવેમ્બરે હોસ્પિટલ દ્વારા એક મેગા નેત્ર તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. હું હોસ્પિટલમાં આવ્યો જ્યાં ડોકટરોએ કહ્યું કે, મને આંખમાં મોતિયો છે. તેમણે મારી એક આંખનું ઓપરેશન કર્યું. ચાર કલાક બાદ મારી આંખમાં દુખાવો શરૂ થવા લાગ્યો. જ્યારે મે ડોકટરનો સંપર્ક કર્યો તો તેમણે મને દુખાવા નિવારક ગોળી અને એક ઈન્જેક્શન આપ્યું હતું. દુખાવાના ઈન્જેક્શનથી મને થોડીવાર રાહત તો મળી પરંતુ થોડા કલાક બાદ પુનઃ આંખમાં દુખાવો શરૂ થઈ ગયો હતો.