કોરોનાની મહામારીથી આખુ વિશ્વ મુશ્કેલીમાં ભરાઇ ગયુ છે. આ વૈશ્વિક મહામારીથી અત્યાર સુધી 24000 થી વધુ લોકોની મોત થઇ છે. ભારતમાં અત્યાર સુધી 18 લોકોની મૃત્યુ થયાની વાત છે. જીવલેણ કોરોના વાયરસથી લડવા માટે ખેલ જગતના ઘણા ખેલાડીઓ સામે આવ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, શુક્રવારે એક તરફ જ્યાં સચિન તેંડુલકરે 50 લાખ રૂપિયા આપીને કોરોના સામેની લડાઇમાં પોતાની ભાગીદારી નિશ્ચિત કરી છે,
સચિને પ્રાઈમ મિનિસ્ટર રિલીફ ફંડ અને ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં 25-25 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે.
તો બીજી તરફ ધોનીએ પૂણે સ્થિત એક NGO ના માધ્યમથી 1 લાખ રૂપિયાનું યોગદાન કર્યુ છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઇને સોશ્યલ મીડિય પર ફેન્સ ભડ્ક્યા છે. એક ફેને લખ્યુ છે કે, 800 કરોડ રૂપિયા કમાતા ધોનીએ માત્ર 1 લાખ રૂપિયા મદદ કરી.. આ દુખદ વાત છે..જોકે આ મામલામાં ધોનીની વાઇફે ખુલાસો કર્યો છે.
ધોનીની વાઈફ સાક્ષીએ ટ્વીટ કરીને કહ્યું કે,
"હું બધા મીડિયા હાઉસને વિનંતી કરું છું કે આવા સંવેદનશીલ સમયે ખોટા સમાચાર આપવાનું બંધ કરે! તમને શરમ આવી જોઈએ ! મને આશ્ચર્ય થાય છે કે જવાબદાર પત્રકારત્વ ક્યાં ગાયબ થઈ ગયું છે!
I request all media houses to stop carrying out false news at sensitive times like these ! Shame on You ! I wonder where responsible journalism has disappeared !
જોકે બીજી તરફ રિપોર્ટ સ્થિત NGO માં લોકોની મદદ કરવા માટે 12.30 લાખ રૂપિયા જમા કરાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો, જેમાં એક લાખ રૂપિયા ઓછા પડ્યા હતા. ધોનીએ આ રકમને પૂરી કરી. ધોનીએ ક્રાઉડફંડિંગ વેબસાઇટ કેટોના માધ્યમથી પૂણે સ્થિત મુકુલ માધવ ફાઉન્ડેશનના મદદ તરીકે 1 લાખ રૂપિયા આપ્યા છે. આ ફાઉન્ડેશન લોકડાઉન દરમિયાન 14 દિવસ સુધી લગભગ 100 પરિવારની ભોજન વ્યવસ્થા કરશે. જોકે આ સિવાય ધોનીએ શું દાન કર્યુ છે તે અંગે કોઇ ખુલાસો થયો નથી.