નાણાકીય સચિવ ટીવી સોમનાથને જણાવ્યું છે કે સરકાર અંતતઃ લગભગ દરેક પીએસયુ બેન્કોનુ ખાનગી કરણ કરશે.
સરકારી બેન્કના ખાનગીકરણને લઈને મોટુ નિવેદન
નાણાકીય સચિવ સોમનાથને કહી આ વાત
છેલ્લે દરેક સરકારી બેન્ક થશે ખનગી
બેન્ક પ્રાઈવેટાઈઝેશનને લઈને મોટી ખબર આવી રહી છે. નાણાકીય સચિવ ટીવી સોમનાથને જણાવ્યું છે કે સરકાર અંતતઃ લગભગ દરેક પીએસયુ બેન્કોનુ ખાનગી કરણ કરશે. સોમનાથને 13 જુલાઈએ ઈન્ડિયા પોલિસી ફોરમ 2021માં કહ્યું કે સરકાર પોતાની જાહેર કરેલી નીતિ અનુસાર આ ક્ષેત્રમાં ઓછી હાજરી રાખશે. તેણે સ્પષ્ટ કર્યું છે કે આ તેમને વ્યક્તિગત વિચાર છે.
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ એક અર્થવ્યવસ્થા આધારિત થિંક ટેંક દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં સોમનાથને આ વાત કહી હતી. સોમનાથને આ વાત એવા સમયે કહી છે જ્યારે દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની પોતાનો IPO લાવવાની તૈયારીમાં છે.
ઓછામાં ઓછા હશે સરકારી બેન્ક
સોમનાથને આગળ કહ્યું કે અમે જાહોરાત કરી હતી કે મોટાભાગની સરકારી બેન્કોનનું છેલ્લે ખાનગીકરણ કરી દેવામાં આવશે. એમ કહેવું કે ઈવેન્ચ્યુઅલી ખાનગી કરણ કરવું અને હકીકતમાં ખાનગી કરણ કરવું બન્ને અલગ વસ્તુઓ છે. પરંતુ અમે તેમના ખાનગીકરણ માટે સંપૂર્ણ રીતે એક્ટિવ છે. બેન્કિંગ એ સેક્ટરોમાંથી એક છે જ્યાં ફક્ત ઓછામાં ઓછી સરકારી બેન્કો રહેશે.
GST ફાઈલિંગની મુશ્કેલીઓ દુર કરવામાં આવી
સોમનાથને કહ્યું કે જરૂરી વસ્તુઓ માટે જરૂરી આર્થિક સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી સુધારાની સાથે, સરકારી સબ્સિડીમાં ફેરફારની જરૂર છે. અમે પોતાની અમુક સબ્સિડી વ્યવસ્થા જેવી કે કૃષિ સબ્સિડી, ખાધ્ય સબ્સિડી, ફર્ટિલાઈઝર સબ્સિડીમાં ફેરફાર કરવાનો રહેશે. તેમાંથી અમુક એક બીજા સાથે જોડાયેલા છે. સોમનાથને કહ્યું કે બીજુ અમને શિક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાર્વજનિક ખર્ચની ક્ષમતામાં સુધાર કરવાની જરૂર છે. નાણાકીય સચિવે એવું પણ જણાવ્યું કે GST ફાઈલિંગમાં જે સમસ્યાઓ આવી રહી છે તેને દુર કરવામાં આવી છે. તેની સાથે જ કહ્યું છે કે રેવેન્યૂ કલેક્શનમાં વધુ સુધારાની પણ યોજના બનાવવામાં આવી છે.