કોરોનાની બીજી લહેરની મહામારીને કારણે રાજ્યનાં યાત્રાધામ અને મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા હતા.
ગુજરાતના મોટા મંદિરો ખુલશે
બીજી લહેરને પગલે હતાં બંધ
ભાવિક ભક્તોમાં ઉત્સાહની લાગણી
ત્યારે હવે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણનું પ્રમાણ ઘટતાં આજથી મોટા ભાગનાં મંદિરો ભક્તો માટે ખુલ્લાં મુકાશે. જેમાં સોમનાથ, દ્વારકા, શામળાજી, ચોટીલા અને ડાકોરનો સમાવેશ થાય છે. તેમજ માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર,ભાવનગરનું ખોડીયાર મંદિર, વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર પણ આજથી ભાવિક ભક્તો માટે ખુલશે.
અંબાજી મંદિર 12 જૂનથી ખુલશે
જ્યારે અંબાજી મંદિર 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. જોકે માતાજીનાં દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહીં દેવાય, તેના બદલે ચાલતાં ચાલતાં જ દર્શન કરવાં પડશે. તો વિરપુર 14 જૂનથી અને બગદાણા 15 જૂન બાદ ખૂલશે.
કડક નિયમો સાથે ખુલશે નિયમો
સરકાર દ્વારા કેટલાક કડક નિયમો સાથે મંદિરો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ભક્તો નિયમનો ભંગ ન કરે અને માસ્ક તેમજ સામાજિક અંતરનું પાલન થાય એનું ધ્યાન મંદિર સંચાલકોએ રાખવાનું રહેશે.
50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ
તમામ મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે. સાથે જ જાહેર કાર્યક્રમો પરનો પ્રતિબંધ પણ યથાવત રાખવામાં આવ્યો છે. જો કે મંદિરનાં દ્વાર ફરી ખૂલવાના સમાચારથી ભાવિકોમાં ખુશીની લહેર વ્યાપી છે.
મંદિરોના ટ્રસ્ટીઓ અને સંચાલક મંડળ દ્વારા લેવાયો નિર્ણય
આ તરફ કચ્છમાં માતાનો મઢ પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આનાર છે,11 જૂનથી મંદિરના સંચાલકોએ માતાનો મઢ ભક્તો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવુ કહેવામાં આવ્યું છે જો કે અહિયા પણ અતિથીગૃહ અને ભોજનશાળા બંધ રહેશે અને કોરોના ગાઈડલાઈ તેમજ નિયમોનું પાલન કરવાનું રહેશે,કોરોના કેસ ઘટના વિશ્વ પ્રસિદ્ધ સાળગપુર મંદીરના દ્વાર પણ ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવનાર છે સાળંગપુર મંદિરમાં ભક્તો હવે 11 જૂનથી દર્શન કરી શકશે તેમા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. કોરોના ગાઈડલાઈન સાથે 11 જૂનથી પાવાગઢનું મહાકાળી મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે મંદિરનો સમય સવારે 6થી સાંજે 7:30 વાગ્યા સુધી રહેશે તે દરમિયાન ભક્તો દર્શન કરી શકશે.
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દ્વારા પણ ખુલ્લા મુકાશે
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દ્વાર પણ ભાવિકો માટે ખોલવામાં આવનાર છે મંદિર સંચાલકો અને ટ્રસ્ટે નવી ગાઈડલાઈન સાથે અને કોરોના નિયમો પ્રમાણે દ્વારા ખુલ્લા મુકવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે 11 જૂનથી ભગવાન સોમનાથના મંદિરના દ્વાર પણ ખુ્લ્લા મુકવામાં આવશે.મંદિરનો સમય સવારે 7.30 થી રાત્રિના 8 વાગ્યા સુધી રહેશે તેમજ તમામ ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને ગાઇડ લાઇનનુ ચુસ્ત પાલન કરવાનું રહેશે જોકે મંદિર પરિસરમાં સવાર, બપોર, સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. મંદિરમાં દર્શન માટે ભાવિકોએ ઓન લાઇન કે ઓફ લાઇન પાસ મેળવવા રહેશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 544 નવા કેસ નોંધાયા તો 11 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 1,505 દર્દીઓ સાજા થયાં. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 544 નવા કેસ નોંધાયા છે, તો 11 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,976 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 1,505 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,96,208 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 316 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 12,711 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.