અત્યારે આખા વિશ્વમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે. જેમાં ભારત બીજા નંબરે છે. ફાસ્ટ લાઈફમાં લોકો સૌથી વધારે કોઈ બીમારીથી પીડાય છે તો તે છે ડાયબિટીસ. એકવાર ડાયાબિટીસ થાય એટલે તેના માટે અનેક પરેજી પાળવી પડે છે સમયસર દવાઓ લેવી પડે છે, તેમ છતાં ઘણાં લોકોને ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતો નથી. ડાયાબિટીસનાં દર્દીઓએ બ્લડ શુગર પર નિયંત્રણ રાખવું બહું જરૂરી છે. જેથી આજે અમે તમને રાજીવ દીક્ષત દ્વારા જણાવેલા ડાયાબિટીસને નેચરલી કંટ્રોલ કરવાના બેસ્ટ નુસખા જણાવીશું.
બ્લડશુગરનું કનેક્શન કોલેસ્ટ્રોલની સાથે છે
જાંબુના ઠળિયાનો પાઉડર ડાયાબિટીલની બેસ્ટ દવા
ડાયાબિટીસના પેશન્ટે બ્રેકફાસ્ટના સમયે લંચ ખાઈ લેવું
ડાયાબિટીસના પેશન્ટે સૌથી વધુ ધ્યાન તેમના કોલેસ્ટ્રોલ લેવલ પર આપવું. હાર્ટના પેશન્ટે પણ કોલેસ્ટ્રોલ લેવલ પર ધ્યાન આપવું જરૂરી છે. બ્લડશુગરનું ખાંડ સાથે કોઈ કનેક્શન નથી, તેનું કનેક્શન કોલેસ્ટ્રોલની સાથે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે જાંબુના ઠળિયા લઈ તેને સૂકવી તેનો પાઉડર બનાવી લો પછી રોજ 1 ચમચીની માત્રામાં ખાલી પેટ નવશેકા પાણી સાથે લો. તમે તૈયાર પણ આ પાઉડર ખરીદી શકો છો.
દેશી પાઉડરથી ડાયાબિટીસ કરો કંટ્રોલ
કારેલાંના બીજનું પાઉડર પણ ડાયાબિટીસમાં ફાયદાકારી છે. તેના માટે કારેલાંના બીજ કાઢીને તેને સૂકવી તેનો પાઉડર તૈયાર કરી લો અથવા તો તમને કારેલાંના જ કટકા કરી તેને સૂકવી તેનો પાઉડર બનાવીને પણ લઈ શકો છો. અડધી ચમચી જાંબુના ઠળિયાનો પાઉડર અને અડધી ચમચી કારેલાંનો પાઉડર અને અડધી ચમચી કડવા લીમડાની લીંબોડીનું પાઉડર મિક્સ કરીને લો. તેનાથી ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે.
3 મહિના આ ઉપાય કરો
આ પાઉડર 3 મહિના રેગ્યુલર ખાવું પછી 15 દિવસ ગેપ રાખવો. ફરી 3 મહિના ખાવું. આ રીતે જ્યાં સુધી ડાયાબિટીસ કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી આ પાઉડર લેવાનું શરૂ રાખો. આ સિવાય ડાયાબિટીસના દર્દીઓએ મેથી દાણા , આમળા, ત્રિફળા જેવી વસ્તુઓનું પણ સેવન કરવું.
ડાયાબિટીસના પેશન્ટે બ્રેકફાસ્ટના સમયે લંચ ખાઈ લેવું
ડાયાબિટીસમાં મિસરી, મધ, ગોળ વગેરે સીમિત માત્રામાં લઈ શકો છો. ખાંડ ખાવી નહીં. આ સિવાય રાજીવ દીક્ષિત કહે છે કે, ડાયાબિટીસના પેશન્ટે બ્રેકફાસ્ટ લેવું નહીં અને સવારે બ્રેકફાસ્ટના સમયે લંચ કરવું. સવારે બ્રેકફાસ્ટમાં પેટ ભરીને જમી લો. સાંજે 4થી 5ની વચ્ચે ડિનર કરી લેવું. વચ્ચે ભૂખ લાગે તો મગફળી, ચણા, મખાણા વગેરે ખાઓ.