આર્મી ભરતીમાં અન્યાય મુદ્દે 500થી વધુ ઉમેદવારો થયા એકઠા થયા, આર્મી અધિકારીઓના આશ્વાસન બાદ પણ ઉમેદવારોનો વિરોધ યથાવત
જામનગર આર્મી કેમ્પ ખાતે 500થી વધુ ઉમેદવારો થયા એકઠા
દોઢ વર્ષ પૂર્વેની દ્વારકા ખાતેની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માંગ
સ્થિતિ અનિયંત્રિત થતા 50થી વધુ ઉમેદવારોની અટકાયત
જામનગર આર્મી કેમ્પ ખાતે આજે મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા હતા. વિગતો મુજબ આર્મી ભરતીમાં અન્યાય મુદ્દે 500થી વધુ ઉમેદવારો થયા એકઠા થયા હોવાનું સામે આવ્યું છે. ઉમેદવારો દ્વારા દ્વારકા ખાતેની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માંગ કરવામાં આવી છે. જોકે આર્મી અધિકારીઓના આશ્વાસન બાદ પણ ઉમેદવારોનો વિરોધ યથાવત રહેતા 50થી વધુ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
દોઢ વર્ષ પૂર્વેની દ્વારકા ખાતેની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ સાથે જામનગર આર્મી કેમ્પ ખાતે આજે મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા હતા. જોકે આર્મી અધિકારીઓના આશ્વાસન બાદ પણ ઉમેદવારોનો વિરોધ યથાવત રહ્યો હતો. જેને લઈ સ્થિતિ અનિયંત્રિત થતા 50થી વધુ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો ?
દોઢ વર્ષ પૂર્વેની દ્વારકા ખાતેની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોઇ આર્મી ભરતીના ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેને લઈ આજે રાજ્યભરમાંથી આર્મી ભરતીના ઉમેદવારો જામનગર આર્મી કેમ્પ ખાતે આવ્યા હતા. જ્યાં આર્મી અધિકારીઓની દરમ્યાનગીરી-આશ્વાસન છતાં ઉમેદવારો પોતાની માંગ ઉપર અડગ રહ્યા હતા. આ સાથે નિશ્ચિત સમય આપવાની ઉમેદવારોએ માંગ કરી છે.
50થી વધુ ઉમેદવારોની અટકાયત
જામનગર આર્મી કેમ્પ ખાતે આજે આર્મી ભરતીમાં અન્યાય મુદ્દે 500થી વધુ ઉમેદવારો થયા એકઠા થયા હતા. જે બાદમાં દ્વારકા ખાતેની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ સાથે ઉમેદવારોએ હલ્લાબોલ કરતા 50થી વધુ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. જોકે શહેરમાં જુદા જુદા સર્કલો પર ઉમેદવારો હજુ પણ હાજર હોવાનું પણ સામે આવ્યું છે.