સમગ્ર દેશમાં આશરે ૨.૪૦ લાખ ATM મશીનોમાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જો કે સામાન્ય લોકોને એવું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ ફેરફારથી એમને ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
ATM મશીનોને નવી રીતથી કેલિબરેટ કર્યા બાદ કેશ વિડ્રૉલની સંખ્યામાં વધારો થશે
છેલ્લા કેટલાક સમયથી સતત એવી માહિતી મળી રહી છે કે મોટાભાગની બેંક પોતાના એટીએમમાં ૨૦૦૦ રૂપિયાની નોટોની જગ્યાએ નાની ડિનૉમિનેશન વાળી નોટોનો વધારો કરવા જઇ રહી છે. બેંકો તરફથી આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે
ATMથી 2000 રૂપિાની નોટ નિકાળ્યા બાદ ગ્રાહકોને છૂટ્ટા કરવામાં પરેશાની થાય છે. છેલ્લા કેટલાક સમયથી ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દેશભરના આશરે 2.40 લાખ ATM મશીનોને આવનાર મહિનામાં કેલિબરેટ કરવામાં આવશે.
બદલાવથી નહીં થાય સામાન્ય લોકોને પરેશાની
FISના પ્રબંધ નિદેશક મહેશ રામમૂર્તિનું કહેવું છે કે ATM મશીનોમાં થનાર આ ફેરફારથી સામાન્ય લોકોમાં ચિંતા કરવાની કોઇ વાત નથી. ATM મશીનોને નવી રીતથી કેલિબરેટ કર્યા બાદ કેશ વિડ્રૉલની સંખ્યામાં વધારો થશે. સામાન્ય લોકોને નાના ડિનૉમિનેશનની નોટોના કારણે સહૂલિયત પણ થશે.
ATM મશીનોમાં વધારવામાં આવશે 500 રૂપિયાની કેસેટ્સ
પ્રાપ્ત જાણકારી અનુસાર આ રિકેલિબરેશન પ્રોસેસ હેઠળ ATM મશીનોમાં 2000 રૂપિયાની નોટ વાળી કેસેટ્સને હટાવીને 500 રૂપિયાની કેસેટ્સને લગાવવામાં આવશે. એનાથી બેંક અને બિનબેંકિંગ નાણાંકીય કંપનીઓને પણ ફાયદો થશે. કારણે એને વ્હાઇટ લેબલ ATM મશીનો દ્વારા પ્રતિ વિડ્રૉલ કમાણી થાય છે.
નાણામંત્રીએ શું કહ્યું?
જણાવી દઇએ કે આ પહેલા એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરી દેવામાં આવશે. આ જ કારણ છે કે ATM મશીનોને કેલિબરેટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. જો કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું હતું કે બેંકોએ કહ્યું હતું કે બેંકોને એવો કોઇ નિર્દેશ આપવામાં આવ્યો નથી. કોઇ પણ નિર્દેશમાં બેંકોને કહેવામાં આવ્યું નથી કે એ 2000 રૂપિયાની નોટનો ઉપયોગ બંધ કરે. એમને કહ્યું કે જ્યાં સુધી મને જાણકારી છે, કોઇ પણ બેંકોને આ સંબંધમાં કોઇ જાણકારી આપવામાં આવી નથી.