સેન્ટ્રલ એડોપ્ટેશન રિસોર્સ ઓથોરિટી (કારા)એ જણાવ્યું છે દેશભરમાં 1100થી વધારે દત્તક લેવાયેલાં બાળકો છેલ્લાં 5 વર્ષમાં ચિલ્ડ્રન હોમ કે શિશું ગૃહમાં પાછા આવ્યાં છે. કારણ જાણ શો તો ચોંકી જશો...
મહારાષ્ટ્રમાં સૌથી વધારે બાળકો પાછા ફર્યા
8 વર્ષથી વધું ઉંમરનાં બાળકો પરિવારના વાતાવરણમાં ઢળી ન શક્યાં
બાળ સંભાળ સંસ્થાઓ બાળકોને પરિવારમાં કેવી રીતે રહેવું તે માટે તૈયાર નથી કરતી
8 વર્ષથી વધું ઉંમરનાં બાળકો પરિવારના વાતાવરણમાં ઢળી ન શક્યાં
સેન્ટ્રલ એડોપ્ટેશન રિસોર્સ ઓથોરિટી(Central Adoption Resource Authority) (CARA)એ જણાવ્યું છે કે દેશભરમાં 1100થી વધારે બાળકો દત્તક લેવાયા બાળકો છેલ્લાં 5 વર્ષમાં બાળ દેખરેખ સંસ્થા એટલે કે ચિલ્ડ્રન હોમ કે શિશું ગૃહમાં પાછા આવ્યાં છે. CARAનાં એક અધિકારીએ જણાવ્યું છે કે મોટાભાગનાં બાળકો એમાંય ખાસ કરીને 8 વર્ષથી મોટી ઉંમરનાં બાળકો દત્તક લેનારા પરિવારનાં વાતાવરણમાં ઢળી શકતા ન હોવાના કારણે તેઓ પાછા આવે છે. એક RTIની મળેલી યાદી મુજબ 2014-15માં મોટાભાગનાં બાળકો પાછા આવ્યાં.
કેટલાં બાળકો પાછા આવ્યાં છે
RTIનાં આંકડા મુજબ 2014-15માં દત્તક લેવાયા કુલ 4,362 બાળકોમાંથી 387 બાળકો અને 2015-16માં દત્તક લેવાયેલા કુલ 3,677 બાળકોમાંથી 153 બાળકો અને 2018-19માં કુલ 4027માંથી133 બાળકોને પાછા ચિલ્ડ્રન હોમમાં મુંકવામાં આવ્યાં છે.
આ કારણે બાળકો પરિવારનાં વાતાવરણમાં ઢળી નથી શકતાં
CARAનાં અધિકારીએ જણાવ્યું હતું કે, બાળ દેખરેક સંસ્થાઓમાં બાળકોએ અલગ રીતે પાલન પોષણ કરવામાં આવે છે. તેમને પરિવારોની સાથે રહેવા અને તેમનાં વાતાવરણમાં ઢળવા માટે તૈયાર કરવા જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આવા કેસોમાં જોવા જઈએ તો બાળકોને દેખરેખ સંસ્થાઓમાં કર્મચારીઓ સાથે એટલો લગાવ થઈ જતો હોય છે. જેનાં કારણે બાળકોને તેમને છોડીને કોઈ પણ પરિવાર સાથે રહેવું મુશ્કેલ થઈ જાય છે.
કયા રાજ્યમાં કેટલાં બાળકો પાછા આવ્યાં
અધિકરીએ એમ પણ જણાવ્યું હતું કે બાળકોને દત્તક લેનારા માતા પિતાનું પણ કાઉન્સેલિંગ કરવું જોઈએ અને તેમને પણ આનાં માટે તૈયાર કરવા જોઈએ. આંકડા પ્રમાણે દત્તક લેવાયેલા બાળકોમાંથી છેલ્લાં પાંચ વર્ષોમાં પાછા આવનારાની સંખ્યામાં મહારાષ્ટ્રા સૌથી પહેલા છે. ત્યાં 273 બાળકો પાછા બાળ દેખરેખ સંસ્થાઓ પાસે પહોંચી ગયાં છે. આ બાદ મધ્ય પ્રદેશ(92), ઓડિસા(88) અને કર્ણાટક(60)નો નંબર આવે છે.