ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના ગલશહીદ વિસ્તારમાં શનિવારે એક મંદિરમાં એક મહંતનું સંદિગ્ધ સ્થિતિમાં મોત થયું હતું. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ પહોંચી અને પંચનામું ભરીને મૃતદેહને પોસ્ટમોટર્મ માટે મોકલવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય યોગી સેનાનું કહેવું છે કે ખનનની વિરુદ્ધ બોલતા હતા અને સંદિગ્ધ સ્થિતિમાં તેમનું મોત નીપજ્યું છે.
યૂપીના મુરાદાબાદમાં મંદિરમાં વધુ એક મહંતનો મળ્યો મૃતદેહ
સંદિગ્ધ સ્થિતિમાં મોત થયું હોવાની મળી જાણકારી
પોલીસ કરી રહી છે ઘટનાની તપાસ
મંદિરના 2 વ્યક્તિઓ દ્વારા સૂચના મળતાં જ મહંતના સંબંધીઓ સ્થળ પર પહોંચ્યા. તેમનું કહેવું છે કે તેમનો ફોન રાતથી બંધ હતો. પોલિસ અધિકારીએ કહ્યું કે મહંતના શરીર પર કોઈ ઘાના નિશાન નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે.
સવારે 8 વાગે મળી પરિજનોને સૂચના
મુરાદાબાદમાં ગંગા પ્રદૂષણ મુક્તિ મોર્ચાના સંસ્થાપક અને મહંત રામદાસનો મૃતદેહ ગલશહીદ વિસ્તારના એક મંદિરમાં મળતા હાહાકાર મચ્યો છે. સૂચના મળતાં પોલીસે આસપાસના લોકોને પૂછપરછ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.
ઘટનાના સંબંધમાં એસએસપી મુરાદાબાદના પ્રભાકર ચૌધરીએ કહ્યું કે મહંત રામદાસ નવરાત્રિના અવસરે સાંજે મંદિર આવ્યા હતા અને 9 દિવસ સુદી મંદિરમાં રહીને વ્રત કરવાના હતા. તેમનો મૃતદેહ સવારે મળતાં પોલીસને જાણ કરાઈ.
હિંદુ સંગઠનોએ કર્યો ચક્કાજામ
મુરાદાબાદમાં સંત અને ગંગા પ્રદૂષણ મુક્તિ મોર્ચાના સંસ્થાપક રામદાસની મંદિર પરિસરમાં સંદિગ્ધ સ્થિતિમાં મોત થતાં હિંદુ સંગંઠનો ગુસ્સામાં આવીને ચક્કાજામ કરી રહ્યા છે. મુરાદાબાદમાં હરિદ્વાર માર્ગ પર જામ કરીને લોકો રસ્તા પર બેઠા છે.
મહંત પાસે હતા 3 ફોન, તમામ ગાયબ
મહંત સોશ્યલ મીડિયા પર સક્રિય રહેતા હતા. તેમની પાસે 3 મોબાઈલ હતા અને તે તમામ ફોન ગાયબ છે. તેમનું પર્સ ગાયબ છે. તેથી તે હત્યાનો મામલો ગણાઈ રહ્યો છે. તમામ ફોન બંધ આવી રહ્યા છે. તેમના નંબરથી તેમનો ડીપી પણ હટાવી દેવામાં આવ્યો છે.
મહંતે એક અઠવાડિયા પહેલાં કરી હતી ફરિયાદ
રામદાસે અઠવાડિયા પહેલાં જ કહ્યું હતું કે મને જીવનું જોખમ છે. જો બીમારીથી મોત થયું હોય તો ફોન ગાયબ ન થાય અને તેમાંથી ડીપી પણમ ન હટે. રામદાસને મોબાઈલનો શોખ હતો. તેઓ દર 1-2 કલાકે ફેસબુક અપડેટ કરતાં. પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ આવ્યો નથી પણ જે થયું તે ખૂબ નિંદનીય છે.