યુપીના મુરાદાબાદ શહેરમાં પણ નાઈટ કર્ફ્યુ લાગુ પાડવામાં આવ્યો છે. સાથે સાથે બીજા પણ કેટલાક શહેરોમાં નાઈટ કર્ફ્યુ અમલી બની રહ્યો છે.
કોરોનાના કેસો વધતા રાજ્ય સરકારો પોતપોતાની રીતે પગલાં ભરી રહી છે
યુપીના મુરાદાબાદમાં નાઈટ કર્ફ્યુ
દિલ્હી એનસીઆર-દિલ્હીમાં 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ
રાજસ્થાનના 8 શહેરોમા નાઈટ કર્ફ્યુ
મુરાદાબાદમાં કોરોનોના કેસો સતત વધી રહ્યાં હોવાથી નાઈટ કર્ફ્યુ લાગુ પાડવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રાકેશ કુમાર સિંહના આદેશ પ્રમાણે, રાતના 10 થી સવારના 6 સુધી નાઈટ કર્ફ્યુ ચાલુ રહેશે.
દિલ્હી એનસીઆર-દિલ્હીમાં 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ
દિલ્હી એનસીઆર-દિલ્હીમાં 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ લાગુ પાડવામાં આવ્યો છે તો નોઈડા અને ગ્રેટર નોઈડામાં 17 એપ્રિલ સુધી રાતના 10 થી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે. ગાઝિયાબાદમાં પણ 17 એપ્રિલ સુધી સ્કૂલો બંધ કરી દેવાઈ છે.
નોઈડા અને ગાઝિયાબાદમાં વહિવટીતંત્ર દ્વારા 17 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ લાગુ પાડવામાં આવ્યો છે. તેમજ આ બન્ને શહેરોની તમામ સ્કૂલો, કોલેજ અને કોચિંગ સેન્ટરોને પણ બંધ કરી દેવાયા છે.
નોઈડા અને ગાઝિયાબાદમાં 17 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ
નોઈડા અને ગાઝિયાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી થયેલા આદેશાનુસાર આખા જિલ્લામાં 17 એપ્રિલ સુધી રાતના 10 થી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યુ રહેશે.જોકે જરુરી સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ, પેરા મેડિકલ અને નર્સિંગ કોલેજોને ખુલ્લી રાખવાની મંજૂરી અપાઈ છે. જોકે પરીક્ષાઓ નક્કી થયેલા સમય પ્રમાણે લેવાશે.
ચંદીગઢમાં પણ નાઈટ કર્ફ્યુ
ચંદીગઢમાં પણ નાઈટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. પંજાબની અમરિન્દર સિંહ સરકાર દ્વારા જારી થયેલા આદેશાનુસર સમગ્ર રાજ્યમાં 30 એપ્રિલ સુધી રાતના 9 થી વહેલી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યુ અમલી રહેશે. રાજ્ય સરકારે રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય મેળાવડા કે કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર રાજકીય નેતાઓ તથા લોકોની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ એન્ડ એપિડેમિક્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરાશે.
બેંગ્લુરમાં કલમ 144 લાગુ
કર્ણાટકની યેદિયુરપ્પા સરકારે બેંગ્લુરમાં કલમ 144 લાગુ પાડી દીધી છે. સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યમાં સ્વિમિંગ પુલ, જિમ, પાર્ટી પ્લોટ અને રહેણાંકના કોમ્પલેક્સના કામકાજ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બેંગ્લુરુ પોલીસ કમિશનર કમલ પંતે તમામ પ્રકારની રેલીઓ, પ્રદર્શન, જાહેર મેળાવડા, કાર્યક્રમો તથા પ્રાર્થના પર પ્રતિબંધ મૂકી દીધો છે.
જમ્મુ કાશ્મીરના 8 જિલ્લામાં નાઈટ કર્ફ્યુ
જમ્મુના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ જમ્મુ અને શ્રીનગર સહિત 8 જિલ્લામાં નાઈટ કર્ફ્યુનો આદેશ આપ્યો છે. 9 એપ્રિલથી 8 જિલ્લા જમ્મુ, ઉધમપુર, કઠુઆ, શ્રીનગર, બડગામ, બારામુલા, અનંતનાગ અને કુપવાડામાં પાબંધીઓ લાગુ રહેશે.
રાજસ્થાનના 8 શહેરોમા નાઈટ કર્ફ્યુ
રાજસ્થાનના જયપુર, અજમેર, ભીલવાડા, જોધપુર, કોટા, ઉદયપુર, સાગવાડા, કુશલગઢમાં નાઈટ કર્ફ્યુ લાગુ પાડવામાં આવ્યો છે.ઓડિશાના સુંદરગઢ, બારગઢ, સંબલપુર, બાલાગીર, નોપડા, કાલાહાંડી, મલકાનગિરી, કોરાપુટ,નબરંગપુર, ઝારસુગુડામાં પણ આગામી આદેશ સુધી નાઈટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે.