મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે 2019-20માં ભારતના જીડીપીના વૃદ્ધિ દરનું અનુમાન 6.20 ટકા ઘટાડીને ગુરુવારે 5.80 ટકા દીધું છે. મૂડીઝનું કહેવું છે કે ભારતીય અર્થવ્યવસ્થા મંદીથી ઘણુ પ્રભાવિત છે અને તેના કેટલાક પરિબળ દીર્ધકાલિન અસર વાળા છે. રિઝર્વ બેન્કે પણ નાણાકીય સમીક્ષા બેઠક બાદ જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 6.10 ટકા કર્યું છે.
મૂડીઝે 2019-20માં ભારતના GDP વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડી 5.80 ટકા કર્યો
મૂડીઝે કહ્યું - ભારતીય અર્થવ્યવસ્થા મંદીથી ઘણુ પ્રભાવિત, કેટલાક પરિબળ દીર્ધકાલિન
રિપોર્ટમાં કહ્યું કે મંદીનું કારણ રોકાણમાં ઘટાડો છે
મૂડીઝે એક રિપોર્ટમાં કહ્યું કે મંદીનું કારણ રોકાણમાં ઘટાડો છે, જે બાદમાં રોજગાર સર્જનમાં મંદી અને ગ્રામીણ ક્ષેત્રમાં નાણાકીય સંકટના કારણે ઉપભોગમાં પણ પ્રભાવી બન્યો. એમણે કહ્યું કે, 'નરમીના ઘણા કારણ છે અને તેમાંથી મોટાભાગના ઘરેલૂ છે તથા દીર્ધકાલિન અસર વાળા છે.'
મૂડીઝે કહ્યું કે વૃદ્ધિ દર બાદમાં ઝડપી બનીને 2020-21માં 6.6 ટકા અને મધ્યમ અવધિમાં લગભગ 7 ટકા થઇ જશે. એમણે કહ્યું, 'અમે આવતા 2 વર્ષ જીડીપીમાં વાસ્તવિક વૃદ્ધિ તથા મોંઘવારીમાં ધીમો સુધારાની આશા રાખીએ છીએ. અમે બંને માટે અમારુ પૂર્વાનુમાન ઘટાડ્યું છે. બે વર્ષ પહેલાની સ્થિતિ સાથે તુલના કરીએ તો જીડીપી વૃદ્ધિ દર 8 ટકા અથવા તેથી વધારે બની રહેવાની આશા ઓછી થઇ ગઇ છે.'
આ પહેલા એશિયાઇ વિકાસ બેન્ક (ADB) અને ઓઇસીડીએ પણ ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન ઓછુ કરી દીધુ હતું. રેટિંગ એજન્સિયા સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ અને ફિચે પણ પૂર્વાનુમાનમાં ઘટાડો કર્યો છે. મૂડીઝે કોર્પોરેટ કરમાં ઘટાડો તથા ઓછા જીડીપી વૃદ્ધિ દરને કારણે રાજકોષિય ખાધ સરકારના લક્ષ્યથી 0.40 ટકા વધુ રહીને 3.70 ટકા પર પહોંચી જવાની આશંકા વ્યક્ત કરી.