દિલ્હીના એક કાર્યક્રમમાં બોલતા સંઘ પ્રમુખ મોહન ભાગવતે એક મોટું નિવેદન આપ્યું છે.
સંઘ પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
કહ્યું જોરજોરથી જયશ્રી રામના નારા લગાવાથી કંઈ નહીં વળે
ભગવાન રામના પગલે ચાલવુ પડશે
મોહન ભાગવતે જણાવ્યું કે આજકાલ બધા જોરજોરથી જયશ્રી રામના નારા લગાવી રહ્યાં છે, આવી નારેબાજી કરવામાં કંઈ ખોટું નથી પરંતુ આપણે ભગવાન રામના પદચિન્હો પર ચાલવાની જરુર છે.
#WATCH | Nowadays, we raise the slogan of 'Jai Shri Ram' enthusiastically. There is nothing bad in it but we should also follow the path shown by Lord Ram: RSS chief Mohan Bhagwat at an event in Delhi pic.twitter.com/rCrttILjJf
આપણે બધાએ ભગવાન રામ જેવા બનવું જોઈએ, નારેબાજી કરવાથી કંઈ નહીં વળે
ભાગવતે કહ્યું કે આપણે બધાએ ભગવાન રામ જેવા બનવું જોઈએ. આપણે એવું વિચારીએ છીએ કે રામ તો ભગવાન હતા. ભરત જેવા ભાઈને પ્રેમ તો રામ જ કરી શકે. આપણે ન કરી શકીએ, આવી વિચારસરણી સામાન્ય લોકો ધરાવતા હોય છે તેથી તેઓ ભગવાન રામના પગલે ચાલી શકતા નથી. પોતાનો સ્વાર્થ છોડીને ભલાઈના કામો કરવા અઘરુ કામ છે.
75 વર્ષમાં આપણે જે કરવું જોઈતું હતું તે ન કરી શક્યા-ભાગવત
મોહન ભાગવતે કહ્યું કે અમારી પાસે મોટી સંખ્યામાં મહાપુરુષો છે જેમણે અમને જીવનજીવવાના માર્ગ તરફ માર્ગદર્શન આપ્યું છે. ૨૦૦ વર્ષમાં વિશ્વમાં આપણી પાસે પહેલા કરતા વધુ મહાન માણસો છે. સ્વાર્થ સિવાય કેવી રીતે કામ કરવું તે તેમણે આપણને બતાવ્યું છે, પરંતુ તેઓએ એ પણ બતાવ્યું કે આ માર્ગમાં કેટલા કાંટા છે. તેથી, આપણે તે રીતે જઈ શક્યા નથી. એટલું જ નહીં તેમણે કહ્યું કે આઝાદી પછીના 75 વર્ષમાં આપણે જ્યાં સુધી જવું જોઈતું હતું ત્યાં સુધી અમે આગળ વધ્યા નથી. દેશને આગળ વધારવાના માર્ગે ચાલશો તો આગળ વધશો, તમે એ રસ્તે ચાલશો નહીં, એટલે આગળ વધતા નથી.