કોરોનાને કારણે 2020-21માં GDPમાં 9.57 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો
અમૃતકાળ તરફ વધવા માટે મોદી સરકારે ઘણા પગલાં ઉઠાવ્યાં
કોવિડના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. મહામારીના કારણે વર્ષ 2020-21માં GDPમાં 9.57 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં બજેટ પર ચર્ચાના જવાબ દરમિયાન આ વાત કહી હતી.
Every village has been electrified in India. 'Andhkaal' (time of darkness) prevailed during their (Congress) rule, whereas now every house has got electricity in every village: Finance Minister Nirmala Sitharaman replying on the Union Budget 2022 in the Lok Sabha pic.twitter.com/cOeZyeKbVb
અમૃતકાળ તરફ વધવા માટે મોદી સરકારે ઘણા પગલાં ઉઠાવ્યાં-સીતારામણ
નાણામંત્રીએ કહ્યું કે અમૃતકાળ તરફ વધવા માટે મોદી સરકારે ઘણા પગલાં ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે આજે જનધન યોજનાને કારણે તમામ ભારતીય નાણાકીય વ્યવસ્થા સાથે જોડાયા છે અને હાલમાં જનધન ખાતાઓમાં 1.57 લાખ કરોડ જમા છે તેમાં 55.6 ટકા ખાતા મહિલાઓને નામે છે.
MGNAREGA is a demand-driven programme. As and when there is demand through the supplementary demand for grants, we give the additional required amount: Finance Minister Nirmala Sitharaman replying on the Union Budget 2022 in the Lok Sabha pic.twitter.com/Y9ofdULnr3
દરેક ઘરમાં વીજળી પહોંચાડી
નિર્મલા સીતારામણે કહ્યું કે ભારતમાં દરેક ગામમાં વીજળી પહોંચાડી છે. કોંગ્રેસના શાસનમાં અંધકાર પ્રવર્તતો હતો. પરંતુ હવે દરેક ગામમાં વીજળી છે.
દેશમાં રોજગારીની સ્થિતિમાં સુધારાનો સંકેત
તેમણે કહ્યું કે 2020-21માં 44 યુનિકોર્ન (એક અબજ ડોલરથી વધારેના મૂલ્યાંકન વાળા યુનિટ) છે જે અમૃતકાળનો સંકેત છે. દેશમાં હવે રોજગારીની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. શહેરોમાં રોજગારી કોરોના પહેલાના સમયના સ્તરે આવી ગઈ છે. 2015માં શરુ કરાયેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ અત્યાર સુધી 1.2 કરોડ વધારાની રોજગારીનું સર્જન થયું છે.
મૂડીખર્ચ વધારવા પર સરકારનો ભાર
તાજેતરમાં જ રજૂ થયેલા બજેટમાં મહેસૂલી ખર્ચની સરખામણીએ મૂડીગત ખર્ચને આગળ ધપાવવાના સરકારના નિર્ણય અંગે નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, મહેસૂલી ખર્ચ પર ખર્ચવામાં આવતા દરેક રૂપિયાની ગુણાત્મક અસર 45 પૈસા છે એટલે કે નફો એક રૂપિયાથી ઓછો છે. સાથે જ જો આ એક રૂપિયાનો મૂડી ખર્ચ હોય તો તેની ગુણાત્મક અસર 2.45 રૂપિયા થશે. સાથે જ આગામી વર્ષે એક એક રૂપિયાના મૂડીખર્ચની ગુણાત્મક અસર રૂ.૩.૧૪ રહેશે તેવો અંદાજ છે. તેમણે કહ્યું કે સરકાર મૂડી ખર્ચ માટે લોન લઈ રહી છે. જો કે વર્ષ દરમિયાન આવકનો ખર્ચ પણ પૂરતો થાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.