કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં લઇને દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવા માટે સરકારે 'શ્રમિક એક્સપ્રેસ' ટ્રેન ચલાવામાં આવી રહી છે. જો કે તેના ભાડાને લઇને દેશમાં રાજકારણ ગરમાયું છે.
પરપ્રાંતિય શ્રમિકોની ઘર વાપસીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. એક મળતા અહેવાલ મુજબ આ સુનાવણી દરમિયાન જ્યારે સુપ્રીમના ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કેન્દ્ર સરકારને ભાડાને લઇને સવાલ પૂછ્યો તો સરકાર તરફથી હાજર સૉલીસીટર જનરલ તુષાર મેહતાએ તેને લઇને કોઇ જવાબ આપ્યો નહીં. સૉલિસીટર જનરલે કહ્યું કે તેમની પાસે ટિકિટના ભાડાને લઇને કેટલું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું તેનો કોઇ નિર્દેશ નથી.
પરપ્રાંતિય શ્રમિકોને તેમના ઘરે પરત મોકવાની અરજી એક સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. આ અરજીમાં દેશમાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોને ઘર વાપસીને લઇને તાત્કાલિક પગલા ઉઠાવાની માગ કરી હતી. આ અરજીમાં શ્રમિકો પાસેથી સરકાર દ્વારા કોઇ ભાડું લેવામાં આવે નહીં.
અરજીકર્તા તરફથી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે ખંડપીઠને જણાવ્યું કે પરસ્પર વિરોધી દાવાના કારણે પ્રવાસી મજદૂરની દયનીય સ્થિતિ છે.