નિર્મલા સીતારમણે ચેતવણી આપતા કહ્યું હતું કે ક્રિપ્ટો કરન્સી કોઈ મુદ્રા નથી, સાથે જ ક્રિપ્ટોકરન્સીને લઈને નવા કાયદા જલ્દી જ બહાર પાડવામાં આવશે.
નિર્મલા સીતારમણે ક્રિપ્ટો રોકાણકારોણે ચેતવણી આપી
ક્રિપ્ટોકરન્સીને લઈને નવા કાયદા જલ્દી જ બહાર પાડવામાં આવશે
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એ ક્રિપ્ટો રોકાણકારોણે ચેતવણી આપી છે. નાણાંમંત્રીએ બીજેપી ઈકોનોમી સેલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જનતાને ચેતવણી આપતા કહ્યું હતું કે ક્રિપ્ટો કરન્સી કોઈ મુદ્રા નથી. ક્રિપ્ટોકરન્સી પર આપણે સાવધાની રાખવી પડશે અને સાથે જ ક્રિપ્ટોકરન્સીને લઈને નવા કાયદા જલ્દી જ બહાર પાડવામાં આવશે.
ક્રિપ્ટોકરન્સી એક્સ્ચેન્જવાળા ખાતા ફ્રિઝ
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એ હાલ જ ઈડીનાં મની લોન્ડરિંગ જાંચમાં ક્રિપ્ટોકરન્સી વિશે પણ તપાસ કરી હતી અને ઓછામાં ઓછી બે ક્રિપ્ટો એક્સ્ચેન્જને જપ્ત કરી લેવામાં આવી હતી, એકાઉન્ટ ફ્રિઝ કરવાનો મતલબ છે કે ઇડીની મંજૂરી વીના કોઈ પણ જાતની લેણી-દેણી ન કરી શકાય. ઇડી એ 8 ઓગસ્ટના રોજ wazirxની 8 મિલિયન ડોલરની બેંક સંપતિ જપ્ત કરી હતી અને ગયા અઠવાડિયા Wauld ક્રિપ્ટોના બેંક ખાતાના લગભગ 46 મિલિયન ડોલર જપ્ત કર્યા હતા.
Wauld ક્રિપ્ટો એક્સચેન્જે આપ્યો જવાબ
ઇડીના આરોપો પર Wauld ક્રિપ્ટોએ જવાબ આપ્યો હતો કે, 'ઇડી સાથે અમે પૂરો સહયોગ બતાવશું અને જુલાઇમાં સમન મળ્યા પછી અને દરેક જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા હતા. અમે જણાવવા માંગીએ છીએ કે અમે કેવાયસી દ્વારા કસ્ટમર પાસે દરેક ડોક્યુમેન્ટ લઈએ છીએ અને અમે અમારા કસ્ટમરના હિતોની રક્ષા માટે દરેક કાયદાકીય સલાહ લઈ રહ્યા છીએ.'
આરબીઆઇ એ કહ્યું હતું કે આવશે નવા નિયમો
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એ જણાવ્યું હતું કે આરબીઆઇ એ સલાહ કરી હતી કે સરકારે ક્રિપ્ટોકરન્સીને લઈને નવા નિયમો બનાવવા જોઈએ. કેન્દ્રીય નાણાંમંત્રી એ કહ્યું કે જો ક્રિપ્ટોકરન્સી પર રોક લગાવવી છે તો સરકારને આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂર પડશે. આગળ એમને કહ્યું હતું કે આપણે આંતરરાષ્ટ્રીય સ્તર જેવા ધોરણો બનાવવા પડશે.