મોદી સરકારે સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા મેળવનાર લોકો માટે દિશા નિર્દેશ જારી કર્યો છે. સૂત્રો પ્રમાણે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે એસપીજી સુરક્ષા મેળવનાર લોકો જ્યારે પણ વિદેશ યાત્રા કરશે, ત્યારે એમની સાથે SPG સુરક્ષાકર્મી હાજર રહેશે.
SPGની સુરક્ષા મેળવનાર લોકો માટે નવો દિશા નિર્દેશ જારી
હવે વિદેશ યાત્રા દરમિયાન પણ લોકોની સાથે હશે ખાસ સુરક્ષા
મોદી સરકારે સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા મેળવનાર લોકો માટે નવા દિશા નિર્દેશ જારી કર્યા છે. સૂત્રો પ્રમાણે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે એસપીજી સુરક્ષા મેળવનાર લોકો જ્યારે પણ વિદેશ યાત્રા કરશે, ત્યારે એમની સાથે એસપીજી સુરક્ષાકર્મી મોજૂદ રહેશે.
સૂત્રો પ્રમાણે જો એસપીજી સુરક્ષા મેળનાર વિદેશ યાત્રા દરમિયાન એસપીજીને સાથે લઇને જતા નથી તો એમની યાત્રાને રદ પણ કરી શકાય છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ એસપીજી સુરક્ષા મળી છે.
માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રની તરફથી આ બદલાવ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની તાજેતરમાં કોલંબિયા યાત્રા કરવાના સમાચાર આવ્યા બાદ કરવામાં આવી છે.
સુરક્ષાને લઇને નવા નિર્દેશ
કેન્દ્ર તરફથી આપવામાં આવેલા દિશા નિર્દેશમાં સ્પેશ્યલ પ્રોટેક્ટશન ગ્રુપની સુરક્ષા મેળવવા માટે સરકારી દિશા નિર્દોશનું પાલન કરવું ફરિજાયક હશે. એસપીજીના સુરક્ષાકર્મી હંમેશા આ વિશેષ સુરક્ષા મેળવનાર લોકો સાથે હાજર રહે છે.
માનવામાં આવી રહ્યું છે કે આ દિશા નિર્દેશને નહીં માનવાના સંજોગમાં એમની વિદેશ યાત્રા પણ રદ કરી દેવામાં આવશે.
તાજેતરમાં રાહુલ ગાંધઈએ વિદેશ યાત્રા દરમિયાન વિદેશમાં પોતાના પહેલા સ્થાન સુધી એસપીજીની સાથે ગયા. પરંતુ એમને સુરક્ષાકર્મીઓને પોતાની પર્સનલ યાત્રા જણાવીને પાછા મોકલી દીધા. જો તેઓ એમની પસંદ અનુરૂપ ફરવા જાય છે તો આ એમના માટે ખૂબ ખતરનાક થતુ જશે.
શું હોય છે SPG સુરક્ષા?
જણાવી દઇએ કે ચાર સ્તરીય સુરક્ષા ઉપરાંત સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ એક સ્પેશિયલ સુરક્ષા વ્યવસ્થા છે જે હેઠળ દેશના વર્તમાન અને પૂર્વ પ્રધાનમંત્રીઓ ઉપરાંત એમની નજીકના પરિજનોને આ સુરક્ષા આપવામાં આવે છે. પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશના શીર્ષ પદ પર બેઠેલા નેતા અને એમના પરિજનોની સુરક્ષા આપવાના હિસાબે SPGની સ્થાપના કરવામાં આવી હતી.