સ્ટોકને સંતુલિત કરવા માટે મોદી સરકાર ટૂંક સમયમાં કોઇ યોગ્ય નિર્ણય લે તેવી શક્યતા સેવાઇ રહી છે. અંત્યોદય અન્ન યોજના અંર્તગત હાલમાં 2.4 કરોડ પરિવારોને રૂ. 13.5 પ્રતિ કિલોનાં ભાવથી દર મહિને 1 કિલો ખાંડ આપવામાં આવે છે.
ન્યૂ દિલ્હી: સરકાર 16.3 કરોડ જરૂરિયાતમંદવાળા પરિવારોને દર મહિને 1 કિલો ખાંડ સસ્તા ભાવે આપવાની યોજના બનાવી રહી છે. કેન્દ્ર સરકાર ખાદ્ય પદાર્થોનાં બફર સ્ટોકને ખતમ કરવા માટે જલ્દી સબસિડી પર અપાતા પદાર્થોની માત્રામાં વધારો કરી શકે છે. આ સાથે જ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમનાં લાભાર્થીઓને માટે માસિક કરિયાણામાં ખાંડ પણ જોડી શકે છે. સરકારનાં આ નિર્ણયથી લગભગ 16.3 કરોડ પરિવારને ફાયદો થઇ શકે છે.
માસિક કોટમાં થઇ શકે છે બે કિલોનો વધારોઃ
એક ન્યૂઝ ચેનલ અનુસાર, કેન્દ્રીય કેબિનેટ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત લાભાર્થીઓને અપાતા માસિક કોટામાં 2 કિલો પ્રતિ લાભાર્થીનો વધારો કરી શકે છે. જો એમ થાય છે તો પ્રત્યેક લાભાર્થીને 5 કિલોને બદલે 7 કિલો કરિયાણું મળશે. આનાંથી નજીક 81 કરોડ લોકોને વધારે ઘઉં અને ચોખા મળી શકે. આ સાથે જ સરકાર અંદાજે 19 કરોડ પરિવારોને અસ્થાયી રૂપથી સબસિડીવાળી ખાંડ આપવાનો નિર્ણય લઇ શકે છે. હાલમાં માત્ર 2.4 કરોડ અંત્યોદય પરિવારોને સબસિડીવાળી ખાંડ આપવામાં આવે છે.
સસ્તા અનાજમાં ખાંડની માત્રા વધારવાથી સરકારનો ખર્ચ 4727 કરોડ વધશે. અંત્યોદય અન્ન યોજના અંર્તગત હાલ 2.4 કરોડ પરિવારોને રૂ. 13.5 પ્રતિ કિલોનાં ભાવથી દર મહિને 1 કિલો ખાંડ આપવામાં આવે છે. ન્યૂઝ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવી યોજના પ્રમાણે હવે 16.29 કરોડ પરિવારને આ લાભ આપવામાં આવશે અને તેનાં કારણે સરકારનો ખર્ચ રૂ. 4,727 કરોડ વધી જશે.
80 કરોડ લોકોને ઘઉં અને ચોખા આપવા અંગે પણ વિચારઃ
ખાદ્ય મંત્રાલય રેશન અંર્તગત 1 અથવા 2 કિલો વધારાનું ખાદ્ય ધાન આપવા અંગે વિચાર કરી રહ્યાં છે. નેશન ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) અંર્તગત 80 કરોડ લોકોને દર મહિને 5-5 કિલો ઘઉં અને ચોખા સસ્તા ભાવે આપવામાં આવે છે. ઘઉં કિલો દીઠ રૂ.2 અને ચોખા 3 રૂપિયે કિલો દીઠ આપવામાં આવે છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે સ્ટોક વધારે હોવાનાં કારણે ખાદ્ય ધાનની મર્યાદા વધારાવામાં આવી છે. તમને અત્યારે જણાવી દઇએ કે FSI પર ચોમાસું શરૂ થતાં પહેલાં સ્ટોક પૂરો કરવાનું પ્રેશર છે. કેમ કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 5 જૂન સુધી કેરળમાં પહોંચવાની ધારણા છે.