દેશભરમાં ફેલાયેલા કોરોનાને કારણે ઈન્ડિયન સ્ટાર્ટઅપને ફંડિગના મોર્ચે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર ઈન્ડિયન સ્ટાર્ટઅપમાં રોકાણ કરનારાને 2 વર્ષ સુધી ટેક્સમાં છુટ મળી શકે છે. મહામારી બાદ દેશમાં સ્ટાર્ટઅપ કંપનીઓને ફંડિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને સરકારે જલ્દી નિર્ણય લઈ શકે છે.
સરકારે જલ્દી આ નિર્ણય લઈ શકે છે
સ્ટાર્ટઅપ કંપનીઓને ફંડિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
2 વર્ષ સુધી ટેક્સમાં છુટ મળી શકે છે
ઉલ્લેખનીય છે કે સરકારે ચીનથી આવનારા રોકાણકારો પર સખત પ્રતિબંધ લાદ્યો છે. આ બાદ ઘરેલુ ઈન્ડિયન સ્ટાર્ટઅપ પાસે ફંડિગને લઈને મર્યાદિત રિસોર્સિસ બચ્યા છે. ત્યારે સરકારે આ સમસ્યાને દુર કરવા માટે મોટુ પગલુ ભર્યુ છે. એક મીડિયા હાઉસના સૂત્રોના જણાવ્યાનુંસાર જો કોઈ ડોમેસ્ટિક રોકાણકાર અનલિસ્ટેડ સ્ટાર્ટઅપમાં રોકાણ કરે છે તો તેને LTCG ટેક્સમાં છુટ મળી શકે છે.
સરકારનો હેતુ ડોમેસ્ટિક રોકાણકાર અનલિસ્ટેડ સ્ટાર્ટઅપમાં રોકાણ કરે છે તો તેને ઈન્સેન્ટિવ આપવામાં આવશે. ફંડિંગના નવા વિકલ્પ ખુલી શકે. ઉલ્લેખનીય છે કે લિસ્ટેડ સ્ટાર્ટ અપમાં રોકાણ કરવા પર ટેક્સ છુટ મળશે. પરંતુ અનલિસ્ટેડ સ્ટાર્ટ અપમાં છુટ નહીં મળે. સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ આને પણ રાહત આપવા માટે સરકારને અરજ કરી છે. નાણા મંત્રાલય આના પર ગંભીરતા પર વિચાર કરી રહ્યું છે. જલ્દી એલાન થઈ શકે છે.
મળી શકે છે આ રાહત
એન્જલ ઈન્લેસ્ટર્સને પણ મળશે રાહત
સરકાર અનલિસ્ટેડ સ્ટાર્ટ અપમાં ભાગીદારી ખરીદવા પ્રોત્સાહન આપી રહી છે