સરકારે મંગળવારે એપ્રિલ- જૂનને માટે નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે. તેમાં 70થી 140 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાતા હવે રોકાણકારોને મોટો ફટકો પડશે. જે લોકોએ પીપીએફ અને મોદી સરકારની સુક્ન્યા યોજનામાં રોકાણ કર્યું છે તેઓને હવે મોટું નુકસાન થવાની શક્યતા છે.
સરકારે કર્યો વ્યાજદરમાં ઘટાડો
70થી 140 બેસિસ પોઈન્ટના ઘટાડાથી રોકાણકારોને ફટકો
આ યોજનાઓમાં હવે મળશે આટલું વ્યાજ
PPFમાં આવ્યો આ ફેરફાર
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) એ વ્યાજ દરમાં 0.80 ટકાનો ઘટાડો કર્યો છે. તે જ સમયે, કિસાન વિકાસ પત્ર (કેવીપી) પરનો વ્યાજ દર 0.70 ટકા ઘટાડીને 6.9 ટકા કરાયો છે. એટલે કે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં ત્રિમાસિક ધોરણે સુધારો કરવામાં આવે છે.
NSCના વ્યાજદરમાં થયો ઘટાડો
રાષ્ટ્રીય બચત પત્ર (એનએસસી) એ વ્યાજ દરમાં 1.10 ટકાનો ઘટાડો કર્યો છે. હવે આ યોજનાના રોકાણ પર રોકાણકારોને 6.8 ટકાના દરે વ્યાજ મળશે. 5 વર્ષના રેકોર્ડિંગ ડિપોઝિટ (આરડી) પર વ્યાજ દરમાં સૌથી વધુ ઘટાડો 1.40 ટકા થયો છે. હવે, RDને આ સમયગાળા માટે 8.8 ટકાના દરે વ્યાજ મળશે. તે જ સમયે વ્યાજદરમાં 1 ટકાનો ઘટાડો કરાયો છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ સરકારે આ પગલું ભર્યું છે. 27 માર્ચે કોરોના વાયરસથી થતા આર્થિક ઘટાડાને પહોંચી વળવા RBI તેના મુખ્ય વ્યાજ દરમાં 75 બીપીએસનો ઘટાડો કર્યો હતો.