ભારતીય જનતા પાર્ટીની નવી રાષ્ટ્રિય ટીમની જાહેરાત બાદ દરેકની નજર મોદી સરકારના આગામી કેબિનેટ વિસ્તાર પર છે. વર્તમાન સરકારે 57 મંત્રીઓ સાથે શપથ ગ્રહણ કર્યા હતા. વર્તમાન સંખ્યા મુજબ મોદી સરકાર 81 મંત્રીઓનું મંત્રીમંડળ બનાવી શકે છે. હાલમાં મંત્રીમંડળમાં 2 રાજીનામા અને રેલમંત્રીના નિધન બાદ કુલ 3 પદ ખાલી છે.
મોદી કેબિનેટનું થશે વિસ્તરણ?
બિહારની ચૂંટણી પછી ચર્ચાઓ તેજ
હાલ મંત્રીમંડળમાં ત્રણ પદ ખાલી
બિહાર ચૂંટણીની રાહ જોવાશે તો કેબિનેટ વિસ્તાર 10 નવેમ્બર બાદ જ થઈ શકશે. પીએમ મોદીએ 30 મે 2019ના બીજા કાર્યકાળના શપથ લીધા હતા. ત્યારથી 16 મહિના બાદ પણ કેબિનેટનો પહેલો વિ સ્તાર થયો નથી. શનિવારે ભાજરની 70 સભ્યોની નવી ટીમની જાહેરાત બાદ હવે કેબિનેટ વિસ્તારની અટકળોએ વેગ પકડ્યો છે.
કેબિનેટમાં કોને મળી શકે છે સ્થાન
અટકળોના આધારે કહી શકાય છે આગામી કેબિનેટ વિસ્તારમાં સંગઠનમાંથી બહાર આવી ગયેલા એ નેતાઓને જગ્યા મળી શકે છે જેઓ રાજ્યસભાના સદસ્ય છે. વિનય સહસ્ત્રબુદ્ધે, ડો. અનિલ જૈન અને સરોજ પાંડેય રાજ્યસભા સદસ્ય છે. પાર્ટી માટે તેમને મંત્રી બનાવવું મુશ્કેલ છે. સાથે જ ભાજપ સંગઠનથી બહાર કરાયેલા રામ માધવ અને પી. મુરલીધર રાવ પણ રાજ્યસભાના સાંસદ નથી. તેમને પણ મંત્રી બનાવી શકાય છે.
હાલ મંત્રીમંડળમાં ત્રણ પદ ખાલી છે
અરવિંદ સાવંત અને હરસિમરત કૌર બાદલે રાજીનામું આપ્યું છે. બે મંત્રીઓના રાજીનામા અને 23 સપ્ટેમ્બરે રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડીનું નિધન થયું છે. આમ કુલ મંત્રીપદમાં 3 જગ્યા ખાલી છે.
ઉલ્લેખનીય છે કે 30 મે 2019માં પીએમ મોદીએ 57 મંત્રીઓ સાથે બીજા કાર્યકાળના શપથ લીધા હતા. તેમાં 24 કેબિનેટ, 9 રાજ્ય સ્વતંત્ર પર્ભાર અને 24 રાજ્યમંત્રીઓ સામેલ હતા. તેમાંથી 3 મંત્રીપદ અત્યારે ખાલી છે. મંત્રીપરિષદમાં કુલ 54 મંત્રીઓ છે. પહેલાંની જેમ પીએમ મોદી 70 મંત્રીઓ રાખે તો પણ કુલ 16 નવા પદ અત્યારે ખાલી છે. વધુમાં વધુ 81 મંત્રી બનાવવા ઈચ્છે તો 11 મંત્રીઓની શક્યતા છે.