પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠક અને સીસીઇએ એટલે કે આર્થિક મામલોની સમિતિની બેઠક થઇ. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે.
રાષ્ટ્રિય શિક્ષણ નીતિ
કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારના રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) હેઠળ નવા ટીચિંગ-લર્નિંગ એન્ડ રિઝલ્ટસ ફોર સ્ટેટસ (#STARS) કાર્યક્રમને મંજૂરી આપી છે. તેને 6 રાજ્યમાં વર્લ્ડ બેંકની મદદથી ચલાવામાં આવશે. આ રાજ્ય હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરળ અને ઓડિશા છે. આ કાર્યક્રમ હેઠળ 5718 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ કાર્યક્રમનો અમલ કેન્દ્ર સરકારના સ્કૂલી શિક્ષા અને સાક્ષરતા વિભાગ દ્વારા નવા કેન્દ્ર પોષિત કાર્યક્રમ તરીકે રીતે થશે. આ નિર્ણથી રાજ્યોની વચ્ચે સહયોગ વધશે, શિક્ષકોનું પ્રશિક્ષણ થશે અને પરીક્ષામાં સુધાર થવાની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધાઓમાં ભારત તૈયારીઓની સાથે ભાગ લઇ શકશે.
સસ્તુ પેટ્રોલ ઉપલબ્ધ કરાવવા માટે
બુધવારે ભારત સરકારે સસ્તી કિંમત પર ઓઇલ પર 3,874 કરોડ રૂપિયાના ખર્ચને પણ મંજૂરી આપી દીધી છે. દેશમાં કાચ્ચુ તેલનું સંગ્રહ વધારો થતાં તેની સીધી અસર પેટ્રોલ-ડીઝલની કિંમત પર અસર પડે છે. જો કાચુ તેલ સસ્તુ થાય છે તો દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પણ ઘટાડો થાય છે, જેનાથી આમ જનતાને ફાયદો થશે. જાવડેકરે આર્થિક મામલાની મંત્રીમંડળની સમિતિની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો અંગે ભારતમાં રણનીતિક ભંડારમાં રાખેલા તેલના વેપાર કરવા માટે અબૂ ધાબી નેશનલ ઓઇલ કંપનીને મંજૂરી આપી દીધી છે.
જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ માટે વિશેષ પેકેજ
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે કેબિનેટે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરમાં લદ્દાખ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન દીનદયાલ અંત્યોદય યોજના હેઠળ 529 કરોડ રૂપિયાનું વિશેષ પેકેજને મંજૂરી આપી દીધી છે. જાવડેકરે કહ્યું કે દેશના બધા ગ્રામીણ વિસ્તારોમાં દીન દયાલ અંત્યોદય રાષ્ટ્રીય આજીવિકા મિશન યોજના ચાલે છે. ગ્રામીણ કાશ્મીર, લદ્દાખ અને જમ્મૂમાં રહેનારા 2/3 લોક આ યોજનામાં સામેલ થશે. કેન્દ્રીય કેબિનેટે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં 520 કરોડ રૂપિયાના વિશેષ પેકેજ પર મહોર લગાવી છે. આ પાંચ વર્ષ માટે રહેશે. તેનો ફાયદો 10,58,000 પરિવારોને થશે.
ADNOC મોડલના સંશોધનને મંજૂરી
મંત્રિમંડળના નાગરનાર સ્ટીલ પ્લાન્ટને રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ લિમિટેડથી અલગ કરવા પર અને સંપૂર્ણ સરકારી ભાગને વેંચીને અલગ થનારી કંપનીના ઇન્વેસ્ટરમેન્ટને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે ભારતીય સામરિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડને હાલના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારના વાણિજ્યિક વ્યવહારિતા વધારવા માટે ADNOC મોડલના સંશોધનને મંજૂરી આપી દીધી છે.