ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા બિન-કોંગ્રેસી વડા પ્રધાન અને દેશના ચોથા ક્રમાંકના સૌથી વધુ સેવા આપનાર પ્રધાનમંત્રી બની ગયા છે.
વડાપ્રધાન મોદીએ રચી દીધો ઇતિહાસ
સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા પ્રથમ બિન કોંગ્રેસી નેતા
આની પહેલા અટલ બિહારી વાજપેયીના નામે હતો આ રેકોર્ડ
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન તરીકેની સૌથી લાંબી સેવા આપનારાઓની યાદીમાં પંડિત જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને મનમોહન સિંહનો સમાવેશ પ્રથમ ત્રણ ક્રમાંક ધરાવટી વ્યક્તિ તરીકે થાય છે. આ ત્રણેય કોંગ્રેસ પાર્ટીના વડાપ્રધાન હતા.
ભાજપ નેતા અમિત માલવીયનું ટ્વીટ
ભાજપના નેતા અમિત માલવીયાએ ટ્વીટ કર્યું હતું કે, આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતના ઇતિહાસમાં સૌથી વધુ સેવા આપનારા વડા પ્રધાન બન્યા છે. તેઓ દેશના સૌથી લાંબી સેવા આપતા બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા છે.
Today, PM Narendra Modi becomes the fourth longest serving PM in the history of India!
He now also holds the distinction of being the longest serving non-Congress PM.
Vajpayee ji served for 2,268 days, with all his terms put together. Today PM Modi has surpassed that duration.
આ મામલે તેમણે ટ્વીટમાં વધુમાં જણાવ્યું હતું કે, પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમના તમામ કાર્યકાળ દરમિયાન કુલ 2268 દિવસ સેવા આપી હતી. આજે વડા પ્રધાન મોદીએ તેમને પાછળ છોડી દીધા હતા."
15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પણ રેકોર્ડ બનાવશે પીએમ મોદી
આ વર્ષે, સ્વતંત્રતા દિવસ નિમિત્તે, એટલે કે, 15 ઓગસ્ટે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવશે, ત્યારે હજી પણ એક નવુ રેકોર્ડ બનશે. આ વખતે સ્વતંત્રતા દિવસ પર વડા પ્રધાન તરીકે તેઓ સાતમી વખત લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવશે. આ સાથે, તે આઝાદીના પ્રસંગે ધ્વજારોહણ કરાવનારા વડાપ્રધાનોની સૂચીમાં પણ ચોથા ક્રમાંકે આવી જશે.
જો કે સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો રેકોર્ડ પંડિત નહેરુના નામે છે. વડા પ્રધાન તરીકે તેમણે લાલ કિલ્લા પરથી 17 વાર ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમની પાછળ ઇન્દિરા ગાંધી છે, જેમણે 11 વાર ધ્વજ ફરકાવ્યો હતો. તે જ સમયે, ડો.મનમોહનસિંહે વડા પ્રધાનપદે રહીને લાલ કિલ્લા પરથી સતત 10 વાર ત્રિરંગો લહેરાવ્યો છે.