કોરોના વાયરસ અને લોકડાઉનની વચ્ચે એક મજૂર દિલ્હીથી બિહારના પૂર્વ ચંપારણ એટલે કે પોતાના વતન જવા સાયકલ પર નીકળ્યો હતો. રસ્તામાં તે ખાવાનું ખાવા રોકાયો અને એક ગાડીએ તેને ટક્કર મારી. સારવાર દરમિયાન મજૂરનું કરુણ મોત થયું હતું.
દિલ્હીથી વતન સાયકલ પર જઈ રહ્યો હતો મજૂર
ચંપારણનો નિવાસી હતો મૃતક
રસ્તામાં ગાડીવાળાએ ટક્કર મારતાં થયું મોત
કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે અનેક લોકો અન્ય રાજ્યોમાં ફસાયેલા છે અને સાથે જ પોતાના ઘરે જવાની શક્ય કોશિશ કરી રહ્યા છે. કોઈ બસમાં જઈ રહ્યું છે તો કોઈ પગપાળા જઈ રહ્યું છે. મજૂરો પોતાની સાયકલ પર પણ હજારો કિમીની મુસાફરી કરી રહ્યા છે. એવામાં મજૂરોની સાથે એક ઘટના બની હતી. તે દિલ્હીથી બિહારના પૂર્વ પંચારણ પોતાના ઘરે નીકળ્યો હતો. રસ્તામાં એક ગાડીએ તેને ટક્કર મારી અને મજૂરનું મોત થયું. મૃતકનું નામ સગીર અંસારી (26) છે. લખનઉમાં તેનો અકસ્માત થયો. લોકડાઉનને કારણે સગીર અને તેના મિત્રોને કામ મળી શક્યું ન હતું, તેથી સગીર અને તેના 7 મિત્રો 5 મેના રોજ સાયકલ પર ઘરે જવા નીકળ્યા હતા. લગભગ અડધા રસ્તો પહોંચ્યા અને તેને માટે તેમને 4 દિવસનો સમય લાગ્યો હતો.
નાસ્તો કરવા માટે રોકાયા હતા મજૂરો
ગયા શનિવારે બધા થાકી ગયા હતા અને રસ્તાની બાજુમાં બેઠા હતા. તે લોકોએ નાસ્તો કરવાનું શરૂ કર્યું. આ સમયે એક ગાડીનું સંતુલન બગડવાના કારણે તેણે ડિવાઈડરને ટક્કર મારી હતી અને પછી અંસારીને પણ ટક્કર મારી હતી. સગીર અંસારીના મિત્ર તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.
સ્થાનિક સંસ્થા આવી મદદે
સગીરના મિત્રોએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ આરોપી કારમાંથી બહાર નીકળી ગયો હતો અને વળતર રૂપે તેમને રકમની ઓફર કરી હતી પરંતુ બાદમાં પીછેહઠ કરી હતી. એક સ્થાનિક સંસ્થા અને નેતાઓએ એક એમ્બ્યુલન્સ ગોઠવી અને સગીરની લાશને તેના ઘરે મોકલી આપી. પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. આરોપીની શોધ કરવામાં આવી રહી છે. સગીરના મિત્રોએ જણાવ્યું હતું કે તેના ઘરે તેની પત્ની અને ત્રણ બાળકો છે.
હાલમાં જ લખનઉમાં એક બીજા અકસ્માતમાં સાયકલ સવાર દંપતીનું મોત નીપજ્યું હતું. તેને કોઈ અજાણ્યા વાહનએ ટક્કર મારી હતી. તે સાયકલ દ્વારા છત્તીસગઢ જવા રવાના થયો હતો. અકસ્માતમાં તેમના બંને બાળકો બચી ગયા હતા. પોલીસ આ કેસમાં આરોપીની પણ શોધ કરી રહી છે.