ઈરાનમાં ફસાયેલા 5 ભારતીયોએ ભારત પાછા ફરવા માટે પીએમ નરેન્દ્ર મોદીની મદદ માંગી છે.
5 નાગરિકોએ દેશમાં પાછા ફરવા પીએમની મદદ માંગી
મર્ચન્ટ નેવી જોઈન કરવા માટે ઈરાન ગયા હતા
વીડિયો મેસેજમાં કહ્યું હાલત જાનવરો કરતા ખરાબ થઈ છે
5 નાગરિકોએ દેશમાં પાછા ફરવા પીએમની મદદ માંગી
આ ભારતીય નાવિકોએ એક વીડિયો મેસેજ મોકલીને પીએમને દેશમાં પાછા ફરવામાં મદદ કરવા અપીલ કરી છે. આરોપ છે કે ખોટા કેસમાં તેમને ફસાવીને 400 વિસ સુધી જેલમાં રાખવામાં આવ્યા. છોડ્યા બાદ પાસપોર્ટ અને આઈડેન્ટિફિકેશન ડોક્યૂમેન્ટ પાછા નથી આપ્યા. તેમણે ઈરાનમાં જીવનું જોખમ હોવાનું પણ કહ્યું છે.
મર્ચન્ટ નેવી જોઈન કરવા માટે ઈરાન ગયા હતા
એક અંગ્રેજી અખબારના સમાચાર મુજબ મુંબઈના અંકિત યેનપુરે(28) અને એમ વર્લીકર(26), પટનાના પ્રણવ તિવારી(21), દિલ્હીના નવીન સિંહ અને ચેન્નાઈના તમીહ સેલ્વન(31) મર્ચન્ટ નેવી જોઈન કરવા માટે 2019માં ઈરાન ગયા હતા. ફેબ્રુઆરી 2020માં જ્યારે તેઓ ઓમાનથી જહાજમાં રવાના થયા તો અજાણતા સમુદ્રના ડ્રગ્સ રેકેટમાં ફસાયા. તેમની ધરપકડ કરવામાં આવી. 18 મહિના પહેલા તેઓને મુક્ત કરાયા પણ તેમના પાસપોર્ટ અને જરુરી ડોક્યૂમેન્ટ જપ્ત કરી દેવામાં આવ્યા છે.
વીડિયો મેસેજમાં કહ્યું હાલત જાનવરો કરતા ખરાબ થઈ છે
અંકિતે વીડિયો મેસેજમાં જણાવ્યું કે, ‘આ વીડિયો અમે અમારા વતન પાછા ફરવા માટે બનાવી રહ્યા છીએ. આ વીડિયો ઈરાનના ચાબહારથી બનાવવામાં આવી રહ્યો છે. જ્યાં હિંન્દુસ્તાને 200 મિલિયન ડોલર પોર્ટ પ્રોજેક્ટ કર્યો હતો. અહીં અમે ગત 400 દિવસથી ફસાયા છીએ. અમને લોકોને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. અમારા એજન્ટના કારણે અમે ખોટા કેસમાં ફસાયા છીએ. નિર્દોષ હોવા છતાં 400 દિવસ જેલમાં કેદ હતા. 9 માર્ચ 2021એ અમને લોકોને મુક્ત કરાયા છે. અમે કરપ્ટ નહોંતા. ન કોઈ ખોટું કામ કર્યુ હતુ. અહીં પણ અમે હિન્દુસ્તાનનું નામ યથાવત રાખ્યું છે.
ઈરાની અધિકારીઓએ ભારતીય દૂતાવાસને જાણકારી નથી આપી
અંકિતે પ્રધાનમંત્રીને કહ્યું છે કે મુક્ત કરાયા બાદ ઈરાની અધિકારીઓએ અમને પાસપોર્ટ નથી આપ્યો અને ન કોઈ આઈડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ આપ્યા. અમારી હાલત જાનવરો જેવી થઈ ગઈ છે. અમે ગલી ગલી ભટકી રહ્યા છીએ અમારી પાસે પૈસા પણ નથી. અમારી સાથે કંઈ પણ થઈ શકે છે. આ વીડિયો મેસેજમાં ભારતીય હાથ જોડી અપીલ કરી છે કે તેમની વતન વાપસી કરાવામાં આવે.
પરિવારોએ પણ પીએમને લખી છે ચિઠ્ઠી
રિપોર્ટ મુજબ આ તમામ પરિવારોને પીએમ નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલયને લેટર લખ્યો છે. અત્યાર સુધીમાં પીએમઓ તરફથી લેટરનો કોઈ જવાબ આવ્યો નથી.