બિહારમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં કેટલાક ભાજપના નેતાઓ પર હુમલા બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે.
બિહારમાં અગ્નિપથ યોજનાનો સૌથી વધારે વિરોધ
પ્રદર્શનકારીઓ ભાજપ નેતાઓને બનાવવા લાગ્યા નિશાન
ડેપ્યુટી સીએમ રેણુદેવીનું ઘર સળગાવાયું
ભાજપ નેતાઓ પર ખતરો સર્જાતા કેન્દ્ર સરકાર એક્શનમાં
બિહાર ભાજપના 10 નેતાઓને આપી વાય કેટેગરીની સુરક્ષા
અગ્નિપથ યોજનાનો સૌથી વધારે વિરોધ બિહારમાં થઈ રહ્યો છે. બિહારના યુવાનો જાહેર સંપત્તિઓની સાથે હવે નેતાઓને પણ નિશાન બનાવવાનું શરુ કર્યું છે. પ્રદર્શનકારી યુવાનોએ ભાજપ નેતા પર હુમલા કર્યાં હતા જે પછી સરકાર ચિંતિત થઈ છે.
Centre provides 'Y' category security by CRPF to 10 BJP leaders in Bihar including Deputy CMs & MLAs. CRPF is taking over the security cover from today after it received the Home Ministry's order on Friday: Sources
બે નાયબ મુખ્યમંત્રીઓ સહિત 10 નેતાઓને સુરક્ષા
કેન્દ્ર સરકારે બિહારના બે નાયબ મુખ્યમંત્રીઓ સહિત 10 ભાજપ નેતાઓને વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલયે આ સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડીને 10 નેતાઓને વાય સિક્યુરીટી પુરી પાડવાનો આદેશ આપ્યો છે. ગૃહમંત્રાલયના આદેશ બાદ બે ડેપ્યુટી સીએમ સહિત 10 નેતાઓને વાય કેટેગરીની સિક્યુરીટી પૂરી પાડવામાં આવી છે. વાય કેટેગરીની સિક્યુરીટી લેનાર નેતાઓમાં બે ઉપમુખ્યમંત્રી તારકેશ્વર પ્રસાદ, રેણુદેવી, બે સાંસદ, બે ધારાસભ્ય અને 3 એમએલસી સામેલ છે.
#WATCH | Bihar: The residence of Deputy CM Renu Devi, in Bettiah, attacked by agitators during their protest against #AgnipathScheme
Her son tells ANI, "Our residence in Bettiah was attacked. We suffered a lot of damage. She (Renu Devi) is in Patna." pic.twitter.com/Ow5vhQI5NQ
બૈતિયામાં ડેપ્યુટી સીએમ રેણુદેવીના ઘર પર હુમલો
બિહારના ડેપ્યુટી સીએમ રેણુદેવીના બૈતિયામાં આવેલા ઘર પર પ્રદર્શનકારીઓએ હુમલો કરીને મોટાપાયે નુકશાન પહોંચાડ્યું હતું. રેણુદેવાના પુત્રે કહ્યું કે પ્રદર્શનકારીઓના હુમલામાં અમારા ઘરને મોટું નુકશાન થયું છે. મારી માતા હાલમાં પટણામાં છે.