રાજ્યમાં હવામાન વિભાગનું અનુમાન 30 અને 31 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે
વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
ભારે વરસાદ માટે જોવી પડશે રાહ
30 અને 31 ઓગસ્ટે વરસાદ પડી શકે છે
ફરી એક વખત હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે, સપ્ટેમ્બરની શરૂઆતમાં સિસ્ટમ બને તો સારો વરસાદ પાડવાઆણી શક્યતાઓ છે. ઓગસ્ટના અંતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવા એંધાણ હવામાન વિભાગે આપ્યા છે પણ ચિંતાનો વિષય એ છે કે રાજ્યમાં ભારે વરસાદ માટે રાહ જોવી પડે તેમ છે. હવામાન વિભાગનું આ અનુમાન ખેડૂતો માટે ભારે ગણાય તેમ છે કેમ કે એક તરફ પાકને વધુ વરસાદની જરૂર છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ વરસવાની કોઈ જ શકયતા હાલ દેખાઈ રહી નથી.
હવામન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહન્તીએ વીટીવી સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 11.25 ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે હજુ પણ 48 ટકા વરસાદની ઘટ યથાવત રહી છે. 30 અને 31 ઓગસ્ટે વરસાદની આગાહી આપતા કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
30 અને 31 ઓગસ્ટે દ.ગુજરાતમાં વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદ ખેંચાતા જળ સંકટ ઉભી થાય તેવી ભિતિ સેવાઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 11.25 ઇંચ જ વરસાદ વરસ્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 41.75 ટકા જ વરસાદ પડતા ખેડૂતો સિંચાઈ માટે પણ મોટી સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ રાજ્યના 98 ડેમોમાં માત્ર 25 ટકા જ પાણી બચ્યું છે. જેથી જો આ વખતે પણ વરસાદ સારો નહીં પડે તો પાણીની મોટી પારાયણ સર્જાઈ શકે છે. પણ આજે એટલે કે 27 ઓગસ્ટે હવામાન વિભાગના અનુમાન અનુસાર સપ્ટેમ્બરની શરૂઆતમાં સિસ્ટમ બને તો સારો વરસાદ પડી શકે છે વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવા એંધાણ છે.
નર્મદા ડેમની શું છે સ્થિતિ
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે...પરંતુ સરદાર સરોવરથી ૐકારેશ્વર ડેમ સુધીના વિસ્તારમાં ખુબ ઓછો વરસાદ છે...ઉપરવાસમાંથી પાણીની આવક માત્ર 12 હજાર 350 ક્યૂસેક થઇ રહી છે...જ્યારે જાવક 12 હજાર ક્યૂસેક છે... પણ જો હવે વરસાદ ન પડે તો પહેલાથી જ ઓછા ભરેલા ડેમમાંથી પીવાનું અને સિંચાઇનું પાણી આપવું પરવડે તેમ નથી, કારણ કે આવક ઓછી સામે પાણીની જાવક વધુ પ્રમાણમાં થઈ શકે છે જેના કારણે જો વરસાદ ન પડે તો ઓગસ્ટ બાદ સિંચાઇનું પાણી માંડ માંડ ખેડૂતોને મળશે એ પાક્કું છે. કારણ કે હાલ નર્મદા ડેમમાં 50 ટકાથી પણ ઓછું જેમાંથી પીવા લાયક પાણીનો જથ્થો રિઝર્વ રાખવો વધુ જરૂરી છે. જે કારણ ખેડૂતોના સિંચાઇના પાણી પણ વધુ કાપ મુકાય તેવી શક્યતાઓ છે. ખેડૂતોને પોતાનો પાક બચાવવા પાણીની વધુ જરૂર પડી શકે છે પણ ઓછા જથ્થાને કારણે સિંચાઇમાં મોટું સંકટ આવી શકે છે
સરકારનું આયોજન
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ જાહેરાત કરી કે, ગુજરાતમાં પીવાના પાણીનીં તંગી નહીં પડે, ત્યારે નર્મદા ડેમમાં હાલ 4 હજાર MCM (મિલિયન ક્યુબિક મીટર ) લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. જોકે આવનારા દિવસોમાં જો વરસાદ ખેંચાઈ અને ઉપરવામાં પાણીની આવક ન થાય તો, નર્મદા ડેમમાં પણ જળસંકટ ઉભું થઇ શકે છે. અને ખેડૂતોને સિંચાઈનું પાણી પણ આપવાનું બંધ કરી શકે છે.
રાજ્યના 80 ડેમોમાં 20%થી પણ ઓછું પાણી
રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજ્યના ડેમોમાં થોડુ જ પાણી બચ્યુ છે, જે ડેમોપાણીની સમસ્યા સર્જાઈ છે તે ડેમની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 80 ડેમો એવા છે જેમાં 20 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે આગામી સમયમાં જો વરસાદ નહીં પડે તો ગુજરાતમાં મોટું જળ સંકટ સર્જાઈ શકે છે. રાજ્યના 4 ડેમની હાલત તો તળિયાઝાટક જેવી જોવા મળી રહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના 15 ડેમ એવા છે જેમાં સરેરાશ 24 ટકા પાણી બચ્યું છે. આ તરફ કચ્છના 20 ડેમમાં 22.88 પાણી બચ્યું છે. રાજ્યમાં આ વખતે જોઈએ એવો વરસાદ પડ્યો નથી જેથી ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને પાકને લેઈને ચિંતા સતાવી રહી છે ખેડૂતો પાકમાં પાણીની સિંચાઈ માટે વરસાદ પર નિર્ભર રહેતા હોય છે પરતું જુલાઈ મહિના બાદ વરસાદ પાછો ખેંચાઈ ગયો છે જો કે કેટલીક જગ્યાએ હળવા વરસાદ ઝાપટા પડે છે પરતું ગુજરાતમાં હજુ પણ પૂરતા વરસાદ ન પડતા વરસાદની 48 ટકા ઘટ જોવા મળી રહી છે.