ઓછી ઉંઘ લેવાની અસર મગજ પર વધારે જોવા મળે છે. અહીં જાણો તેના કારણે કયા પ્રકારની ખરાબ અસર પડે છે.
તમે દરરોજ કેટલા કલાક સુવો છો?
6 કલાકથી ઓછી ઉંઘ લેતા હોવ તો વાંચી લેજો
જાણો તેના લીધે થતા નુકસાન વિશે
પુરતી ઉંઘ લેવી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. એક વ્યક્તિએ રાત્રે 8 કલાકની ઉંઘ લેવી જોઈએ પરંતુ જો કોઈ કારણસર તમે સારી રીતે ઉંઘ નથી લઈ શકતા. તો તેની ખરાબ અસર સૌથી વધારે મગજ પર પડે છે. આવા લોકોને મોટાભાગે સ્ટ્રેસ રહે છે અને તે પોતાના દરરોજના કામોને સારી રીતે નથી કરી શકતા. જાણો પુરતી ઉંઘ ન લેવાના કારણે તમારા સ્વાસ્થ્ય પર શું નુકસાન થાય છે.
સ્ટ્રેસ
જો તમે 6 કલાક કે તેનાથી ઓછી ઉંઘ લો છો તો એક સમય પર તમારી માનસિક સ્થિતિ બગડવા લાગે છે અને તમે સ્ટ્રેસનો શિકાર બનવા લાગો છો. આ સ્ટ્રેસ ગમે ત્યારે એટલો વધી જાય છે કે લોકો ડિપ્રેશનમાં પણ આવી જાય છે. કહેવાય છે કે ઉંઘ ન આવવી અને ડિપ્રેશનમાં એક કનેક્શન છે. જો ડિપ્રેશન છે તો ઉંઘ નહી આવે અને ઉંઘ પુરી ન લઈ શકાય તો ડિપ્રેશન થઈ શકે છે. માટે પુરતી ઉંઘ લો.
યાદશક્તિ પર ગંભીર અસર
જે લોકોને 6-7 કલાક કે તેનાથી ઓછી ઉંઘ લેવાની આદત હોય છે તેમને યાદશક્તિ કમજોર થવાની ફરિયાદ રહે છે. આવા લોકો ચિંતામાં ડૂબેલા રહે છે અને તે વસ્તુઓ ભુલવા લાગે છે. જો તમને અનિદ્રાની સમસ્યા છે. તો આ કંડીશનમાં ડોક્ટરની પાસે જાઓ. તમે ઈચ્છો તો ઘરે જ યોગ કરીને પોતાને આ પ્રોબ્લેમથી દૂર કરી શકો છો.
ધ્યાન કેન્દ્રીત ન કરી શકવું
ઓછી ઉંઘ અથવા અનિદ્રાથી ગ્રસ્ત લોકોને મગજ પર એટલી ખરાબ અસર પડે છે કે તેમની ધ્યાન લગાવવાની ક્ષમતા પણ કમજોર પડવા લાગે છે. તે ઈચ્છવા છતાં કોઈ જરૂરી વસ્તુઓમાં ધ્યાન નથી લગાવી શકતા અને તેના કારણે તેમને મોટુ નુકસાન થઈ શકે છે.