હોસ્પિટલોમાં લાગેલી આગ મામલે મેડિકલ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો અમલ માટે મહેતા પંચ દ્વારા ભલામણ કરવામાં આવી છે
હોસ્પિટલોમાં લાગેલી આગનો મામલો
ફાયર સેફ્ટીના સાધનો માટે નિયમ જરૂરી
ગેરકાયદે બાંધકામને મંજૂરી ન આપવી
રાજ્યમાં વારંવાર આગની ઘટનાઓ સામે આવ્યા બાદ તેને લઈ તપાસ પંચ નિમવામાં આવ્યું છે ત્યારે વિધાનસભામાં ચાલી રહેલી ગૃહની કામગીરી દરમિયાન આજે હોસ્પિટમાં આગ લાગવાનો મુદ્દો ઉઠ્યો છે, મહત્વનું છે કે આજે આગની ઘટનાઓ મામલે તપાસ પંચનો રિપોર્ટ રજૂ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો જેમાં રાજ્યમાં મેડિકલ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો અમલ માટે પંચ દ્વારા ભલામણ કરવામાં આવી છે. હોસ્પિટલમાં આગ લાગવામાં મામલે મહેતા પંચે ભલામણ કરી છે.
હોસ્પિટલોમાં લાગેલી આગનો મામલો
ગુજરાત વિધાનસભામાં કોવિડ હોસ્પિટલમાં બનેલી આગની ઘટના મુદ્દે સરકારે તપાસ પંચનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. ગૃહમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલ તેમજ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગ મુદ્દે જસ્ટિસ ડી.એ મહેતા તપાસ પંચનો કુલ 216 પાનાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. આ તપાસ પંચના આ રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, શ્રેય હોસ્પિટલમાં જે ફાયર સેફ્ટીના સાધનો હતાં તે 13 વર્ષ જૂના હતાં જ્યારે કે આવાં સાધનોની મર્યાદા ફક્ત 5 વર્ષ જેટલી જ હોય છે. આ ઉપરાંત મહેતા પંચે અનેક મહત્વપૂર્ણ ભલામણો પણ કરી છે. તપાસ પંચે જણાવ્યું કે, ફાયર NOC આપતી વખતે સાધનોની તપાસ કરવી પણ જરૂરી છે.
ફાયર સેફ્ટીના સાધનો માટે નિયમ જરૂરી
મહત્વનું છે કે મહેતા પંચના આ રિપોર્ટમાં ફાયર સેફ્ટીના સાધનો માટે તમામ નિયમોની અમલવારી જરૂરી હોવાનું જણાવાયું છે. તેમજ1949 ગુજરાત નર્સિંગ રજિસ્ટ્રી એક્ટનું પાલન ન થતું હોવાનો પણ ઉલ્લેખ સાથે ગેરકાયદેસર બાંધકામને મંજૂરી ન આપવા, આગની ઘટનામાં મૃતક પરિવારને સહાય આપવા અને આ રિપોર્ટમાં સહાયના નાણા સરકાર કે કરદાતા ન ચૂકવે તેવો પંચનો મત છે. રિપોર્ટમાં ફાયરના સાધનોની તપાસ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. તમામ હોસ્પિટલમાં ફાયર અને ઈમરજન્સી સર્વિસ ધરાવતી સેવાઓમાં 24 કલાક સ્ટાફ રાખવો જરૂરી છે.
શું હતો સમગ્ર ઘટનાક્રમ
શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટના સામે આવ્યા બાદ મોડીરાત્રે ભરત મહંત સામે ફરિયાદ નોંધાઈ હતી IPC 336,337,338 અને 304 A મુજબ ગુનો નોંધાયો હતો કેસની તપાસ A-ડિવિઝનના ACP મુકેશ પટેલને સોંપાઈ હતી, હોસ્પિટલ પાસે ISO સર્ટિફિકેટ છેલ્લા 10 વર્ષથી હતું, તપાસમાં સામે આવ્યું કે ફાયરના સાધનોનો ઉપયોગ ફરજ પરના સ્ટાફે કર્યો ન હતો, સ્ટાફના લોકોને આ અંગેની તાલીમ આપવામાં આવી ન હતી, મુખ્ય સંચાલકની બેદરકારી ગણી શકાય તેવુ માની પોલીસે ગુનો નોંધ્યો હતો. ફાયર NOC ન હોવાના કારણે ફાયર ઓડિટ થઈ શક્યું નહોતું ફાયર એલાર્મ પણ ન હોવાથી આગના કારણે લોકોના જીવ ગયા હતા, 86 ટકા હિસ્સો ભરત મહંતનો હોવાથી તેની સામે ગુનો નોંધાયો હતો.
રાજકોટમાં થયો હતો અગ્નિકાંડ
રાજકોટમાં 27મી નવેમ્બરે અગ્નિકાંડની ઘટના સામે આવી હતી, ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદય શિવાનંદ હોસ્પિટલમાં મધરાત્રે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં હોસ્પિટલમાં સારવાર લેતા 6 દર્દીઓ આગમાં ભૂજાઇ ગયા હતા. આ મૃતકોની ઉંમર 50થી 70 વર્ષની વયની હતી તો ત્રણ દર્દી ICUમાં જ ભડથું થયા હતા, બે દર્દીએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો, મૃતકોમાં નીતિનભાઈ મણિલાલ બદાણી,રામશીભાઈ મોતીભાઈ લોહ,રસિકલાલ શાંતિલાલ અગ્રાવતનો સમાવેશ થાય છે, સંજયભાઈ અમૃતલાલ રાઠોડ,કેશુભાઈ લાલજીભાઈ અકબરીનો પણ સમાવેશ થાય છે, આ ઘટના બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે એક પછી એક મૃતદેહ પરિવારને સોંપાયા હતા. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં એક કર્મચારીએ 7 દર્દીને બચાવ્યા હતા. ACS એ. કે. રાકેશને ઘટના અંગે તપાસ સોંપવામાં આવી હતી ઉદય શિવાનંદ હોસ્પિટલમાં 33 દર્દી સારવાર હેઠળ હતા, 11 ICUમાં અને 22 જનરલ વોર્ડમાં હતા, 33માંથી 5નાં મોત થયા તો બચી ગયેલા 28માંથી 23ને કુવાડવા રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો, મહત્વનું છે કે આગમાં વેન્ટિલેટરના સ્પાર્કથી આગ લાગી હોવાનુ તારણ આવ્યું હતું, ગોકુલ હોસ્પિટલના ડૉ.પ્રકાશ મોઢા અને તેના દીકરા વિશાલ મોઢાની ધરપકડ થઇ હતી તો ડૉ.જસ કરમટાની પણ ધરપકડ થઈ હતી, કલાકો બાદ જ બંનેને જામીન મળી ગયા હતા તો ડૉ.પ્રકાશ મોઢા ભાજપ સાથેના સારા સબંધો હોવાથી પોલીસની કાર્યવાહી શંકામાં હતી આ તરફ આગને લઇને ધમણ વેન્ટિલેટર પહેલેથી શંકા દાયરામાં હતું.