જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુ્ફ્તીને ફરી નજરકેદ કરી લેવામાં આવ્યા છે. તે આતંકીઓ સાથેની અથડામણમાં માર્યા ગયેલા યુવકના પરિવારને મળવા જવાના હતા. જોકે તેઓ મળવા જાય તે પહેલાજ તેમને ફરી નજરકેદ કરી લેવામાં આવ્યા છે.
કાશ્મીરમાં મહબૂબા મુફ્તીને ફરી નજરબંધ કરવામાં આવી
પ્રશાસને તેના ઘરની બહાર મોબાઈલ બંકર તૈનાત કર્યા
પીડીપીના નેતાએ સમગ્ર મામલે આપી જાણકારી
જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીને પ્રશાસન દ્વારા ફરી નજરબંઘ કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા આ એકશન એટલા માટે લેવામાં આવ્યું છે કારણકે આંતકિઓએ જે લોકોની હત્યા કરી હતી તેમના પરિવારને મહબૂબા મુફ્તી મળવા જવાના હતા. સમગ્ર મામલે પીડીપીના એક નેતા દ્વારા મહબૂબા મુફ્તીને નજરબંધ કરવામાં આવ્યા હોવાની જાણકારી આપી છે.
મૃતક વ્યક્તિના પરિવારને મળવા જવાના હતા
મહબૂબા મુફ્તી શાહિદ અહેમદના પરિવારને મળવા જવાના હતા. તેનું મોત ગત 24 ઓક્ટોબરના રોજ દક્ષિણ કાશ્મીરમાં થયું હતું જેમા ગોળીબારીમાં તેનુ મોત થયુ બતું. પીડીપીના એક નેતાનું કહેવું છે કે પોલીસે મહેબૂબા મુફ્તીનો ઘરનો દરવાજો બંધ કરીને ઘરની બહાર મોબાઈલ બંકર તૈનાત કરી દીધું છે.
પાક સમર્થકો પર કડક એકશન લેવાની વાત
વધુમાં પીડીપીના નેતાએ કહ્યું અનંતનાગમાં જે યુવક માર્યો ગયો તેના પરિવારને તેઓ મળવા જાય તે પહેલાજ તેમને નજરબંધ કરી દેવામાં આવ્યા હતા. અગાઉ તેમણે ભારત પાકની મેચ પર પાકિસ્તાનને સમર્થન આપતા લોકો વીશે કડક એકશન લેવાની વાત કરી હતી.
PM મોદીને લખ્યો હતો પત્ર
ઉલ્લેખનીય છે કાશ્મીરમાં અમુક વિદ્યાર્થીઓએ પાકિસ્તાનની જીતનો જસ્ન મનાવ્યો હતો જેના કારણે તેમના પર દેશદ્રોહનો આરોપ લાગ્યો હતો ત્યારે મહબૂબા મુફ્તીએ પીએમ મોદીને પત્ર લખીને કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓએ પાકિસ્તાનને સમર્થન આપ્યું છે. તેમની સામે એકશન થોડુક નરમ વલણ રાખવાની વાત કરી હતી.