ભારત અને પાકિસ્તાન વચ્ચે તીડના ટોળાઓના હુમલાના પગલે 18 જૂને એક મિટિંગ યોજવામાં આવે તેવો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ જાહેરાત વિદેશ મંત્રાલયે ગુરુવારે કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે ગયા મહિનાથી ભારતે સ્થાનિક સ્તરે તીડના આતંકથી બચવા માટે રણનીતિ બનાવવા માટે એક કોઓપરેશન શરુ કરવાની મુહિમ ઉપાડી છે અને આ અંતર્ગત ઈરાનને 20000 લીટર પેસ્ટીસાઇડ આપવામાં આવ્યું છે.
આ પેસ્ટીસાઇડ ઈરાનના ચબહાર બંદરે 15 જૂને પહોંચશે તેવી શક્યતા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથે આ મુદ્દે ટેક્નિકલ મિટિંગ કરવામાં આવશે અને તેમના તીડની સમસ્યાના નિવારણને લગતા ઓર્ગેનાઇઝેશનનો પણ સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું કે તીડને કાબૂમાં કરવા માટે સંયુક્ત ઓપરેશન માટે અમે પેસ્ટીસાઇડનો જથ્થો પૂરો પાડવા માટે પણ તૈયાર છીએ. અમે અત્યાર સુધી પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી પણ અમે 18 જૂને મિટિંગ માટે પ્રસ્તાવ મુક્યો છે. ભારતે પાકિસ્તાન અને ઈરાન સાથે સંયુક્ત સમર્થનની અપેક્ષા રાખી છે જેથી આ દેશોમાં ચાલી રહેલી તીડની સમસ્યાથી છુટકારો મેળવી શકાય.