પહેલી વખત ભારતીય T-20 ઇન્ટરનેશનલ ટીમમાં પસંદગી પછી પંજાબના લેગ સ્પિનર મંયક માર્કંડેયે જણાવ્યુ કે ''તેણે ક્યારેય વિચાર્યુ ન હતુ કે તેની પસંદગી ભારતીય ટીમમાં આટલી ઝડપથી થઇ જશે.''
વાસ્તવમાં BCCIએ શુક્રવારના ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ 24 ફેબ્રુઆરી શરૂ થનારી 2 T-20 અને 5 વનડે સીરિઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી જેમાં લિગ સ્પિનર મંયક માર્કંડેયને પહેલી વખત T-20 ટીમમાં શામેલ કરવામાં આવ્યો.
BCCI દ્વારા પસંદગીના થોડા જ કલાકો પહેલા મયંકએ ઇંગ્લેન્ડ લૉયન્સની વિરુદ્ઘ બીજી અનઑફિશ્યલ ટેસ્ટમાં 31 રન આપીને 5 વિકેટ ઝડપીને ઇન્ડિયા Aની ઇનિંગ અને 68 રનથી જીત અપાવવામાં મહત્વનુ યોગદાન આપ્યુ. મંયક થોડા કેટલાક મહિનાથી શાનદાર ફોર્મમાં છે જ્યારે તેણે આ માટેનું ઇનામ ટીમ ઇન્ડિયામાં જગ્યા તરીકે મળ્યુ છે.
ટીમમાં સ્થાન મળ્યા પછી મંયકે કહ્યુ કે ''નેશનલ ટીમમાં પસંદગી કોઇ પણ ખિલાડીના કરિયરની સૌથી મોટી સિદ્ઘિ છે. સાચ્ચુ કહુ તો મને આશા જ નહોતી. મેં ક્યારેય વિચાર્યુ ન હતુ કે મને આટલો જલ્દી નેશનલ ટીમમાં શામેલ કરવામાં આવશે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. સિલેક્ટર્સે જોયુ હશુ કે રણજી ટ્રોફીની સાથે સાથે મારુ પરફૉર્મન્સ ઇન્ડિયા A માટે પણ સાર્થક રહ્યુ છે. હું ખૂબ જ ખુશ છું કે મને પોતાને સાબિત કરવા માટે મૌકો આપવામાં આવ્યો છે.''
તમને જણાવી દઇએ કે આ યુવા ખિલાડી મંયકે અત્યાર સુધી 7 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 21.26ની એવરેજથી 34 વિકેટ લીધી છે જેમાં 3 ઇનિંગમાં 5 વિકેટો શામેલ છે. આ સિવાય તેણે 22 લિસ્ટ A મેચોમાં 19.97ની એવરેજથી 45 વિકેટ ઝડપી છે.
આ સિવાય IPLની મુંબઇ ઇન્ડિયન્સમાં રમતા તેણે 14 મેચમાં 24.53 એવરેજથી 15 વિકેટ ઝડપી છે. BCCIના મુખ્ય સિલેક્ટ એમએસકે પ્રસાદે કહ્યુ કે ''અમે મયંકને બેકઅપ સ્પિનર તરીકે જોઇ રહ્યા છે. અમે ઇન્ડિયા Aમાં તેનું યોગદાન જોયુ છે. આ માટે અમે મૌકો આપવા ઇચ્છીએ છીએ કે આ અમારા માટે બેકઅપ સ્પિનર હશે.''