સંતાન જ્યારે મા-બાપને તરછોડીને વૃદ્ધાશ્રમમાં મોકલી આપે છે. ત્યારે જે દર્દ અને પીડા વડીલોને થાય છે. તેના કરતા પણ વધારે ખરાબ સ્થિતિ ગાંધીનગરમાં ડભોડાના વૃદ્ધાશ્રમના વડીલોની બની હતી. ડભોડાના વૃદ્ધાશ્રમમાં રહેતા 17 જેટલા વૃદ્ધો ફરી નિરાધાર બન્યા હતા. ત્યારે આ ડોભાડા વૃદ્ધાશ્રમ પર VTVના અહેવાલની અસર થઇ છે.
માવતર વૃદ્ધાશ્રમને પેથાપુર ખાતે સિફ્ટ કરાશે
ગાંધીનગરના ડભોડા વૃદ્ધાઆશ્રમ પર વીટીવી અહેવાલની અસર
ગાંધીનગરના ડભોડામાં માવતર વૃદ્ધાશ્રમ છેલ્લા 3 વર્ષથી ચાલે છે. તે સ્માર્ટ પીપલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વૃદ્ધાશ્રમ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ કોરોના મહામારીના કારણે વૃદ્ધાશ્રમ મકાનનું ભાડું ન ચુકવી શકતા મકાન ખાલી કરવું પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. સરકારને પોતાનો આશરો ન છીનવાઇ તેવી આજીજી કરી હતી. વૃદ્ધોએ પોતાને રહેવાની વ્યવસ્થાની માગ કરી હતી. જોકે સરકારે કોઇ પગલા ન લેતા ફરી વડીલો નિરાધાર થવાની સ્થિતિમાં મુકાયા હતા. ત્યારબાદ VTV ન્યૂઝ દ્વારા વૃદ્ધાશ્રમની સ્થિતિ અને વૃદ્ધોની માગને રજૂ કરતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
VTVના અહેવાલ બાદ તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના સંકટમાં ડભોડા વૃદ્ધાશ્રમને પેથાપુર ખાતે શિફ્ટ કરવામાં આવશે. 17 જેટલા વૃદ્ધોને પેથાપુર ખાતે લઇ જવાશે. મહત્વનું છે કે, ભાડાના પૈસા ન હોવાથી વૃદ્ધાઆશ્રમ ખાલી કરવાની નોબત આવી હતી.
કોરોનાની મહામારી અને લોકડાઉનમાં ટ્રસ્ટ પણ આર્થિક રીતે ભાંગી પડ્યું
ડભોડા ગામમાં માવતર વૃદ્ધાઆશ્રમ શરૂ થયા બાદ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાંથી અનેક નિરાધાર વૃદ્ધ વડીલોને પોતાનું ઘર અને પરિવાર મળ્યું. વૃદ્ધ વડીલો એકબીજાના સાથ અને પ્રેમથી પોતાનું જીવન વીતાવી રહ્યા છે. જ્યારે સંતાનોએ જવાબદારી ઉઠાવવાના બદલે ઘરડાઘર મોકલી આપ્યા. ત્યારે આ ઘરડામાં બાપ જ ખુદનો સહારો બન્યા હતા. આ ટ્રસ્ટ દ્વારા વડીલોના જમવા અને દવાનો ખર્ચ સાથે મકાનનું એક લાખ ભાડાનો ખર્ચ વધ્યો હતો. છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારી અને લોકડાઉનમાં ટ્રસ્ટ પણ આર્થિક રીતે ભાંગી પડ્યું છે. ટ્રસ્ટીઓએ વૃદ્ધ વડીલોના માથેથી ઘર ની છત છીનવાઈ નહિ માટે સરકાર પાસે રહેવાની વ્યવસ્થાની માંગ કરી હતી.