ધંધુકા ફાયરિંગ કેસમાં સંડોવાયેલા મૌલવીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.શુક્રવારે અમદાવાદથી મૌલવીની ધરપકડ કરાઈ હતી. કોર્ટે આરોપી મૌલવીના 7 દીવસના રિમાન્ડ મંજૂર
ધંધુકા ફાયરિંગ કેસમાં મૌલવીના રિમાન્ડ મંજૂર
કોર્ટે આરોપી મૌલવીને 7 દિ' રિમાન્ડ પર મોકલ્યો
ધંધુકા કેસમાં ATSની બે ટીમ,તપાસનો ધમધમાટ
ધંધુકા ફાયરિંગ કેસમાં સંડોવાયેલા મૌલવીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.શુક્રવારે અમદાવાદથી મૌલવીની ધરપકડ કરાઈ હતી. કોર્ટે આરોપી મૌલવીના 7 દીવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. આરોપી મૌલવી મહંમદ અય્યુબના રિમાન્ડ મંજૂર કરાયા છે.
તપાસમાં ATSની બે ટીમ
રાજ્યના ગૃહમંત્રીએ સમ્રગ તપાસ ATSને સોંપાવાના આદેશ કર્યા છે.
ATS સોશિયલ મીડિયા, મોબાઈલ ડેટા સહિતના તમામ પાસાઓ પર જીણવટ પૂર્વક તપાસ કરશે. સાથે આ મામલે પાકિસ્તાની કનેક્શન છે કે કેમ તેની પણ તપાસ કરશે.ઉલ્લેખનીય છે કે આ હત્યાના મામલે એક મૌલવી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે.
ધંધુકાના કિશન ભરવાડની હત્યાનો મામલો
ગુજરાત આખામાં અમદાવાદના ધંધુકામાં થયેલ એક હત્યા મામલે રોષ જોવા મળી રહ્યો છે. સોશ્યલ મીડિયામાં પણ લોકોમાં ભારે રોષ છે ત્યારે પોલીસે અમદાવાદના એક મૌલાનાની ધરપકડ કરી લીધી છે જેમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. આ માત્ર એક હત્યા જ નહીં, રાજ્યમાં કટ્ટરતા ફેલાવવાનું ખૂબ મોટું ષડયંત્ર ચાલતું હોવાનું સામે આવતા હવે ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ ગઈ છે.
સીધેસીધું પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું
ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. કિશનની હત્યા કરનારા આરોપીઓ જેહાદી માનસિકતા ધરાવે છે અને અમદાવાદનો જે મૌલનાના ઝેર ફેલાવવાનો પણ આરોપી છે તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. આ મૌલાના પાકિસ્તાની સંગઠનો સાથે જોડાયેઓ હતો અને આ મૌલાનાએ જ મસ્જિદમાં બેસીને કિશનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. મૌલાનાએ જ આરોપીઑને હથિયાર આપ્યા હતા જેનાથી કિશનની હત્યા કરી દેવામાં આવી.
તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદનો મૌલાના પોતાના સંગઠન દ્વારા લોકોમાં કટ્ટરવાદ ફેલાવતો હતો અને પાકિસ્તાની સંગઠનો સાથે તેનો સીધો સંબંધ હતો. ગુજરાતમાં ધાર્મિક કટ્ટરતા ફેલાવવાનો ખેલ છેક પાકિસ્તાનથી ખેલાઈ રહ્યો હતો. આટલા મોટા ખુલાસા બાદ હવે ગુજરાત ATSની બે ટીમો તપાસમાં જોડાઈ ગઈ છે અને વધુ તપાસ તથા પૂછપરછ કરવામાં આવી રહી છે.
કિશનની હત્યાનો પ્લાન કેવી રીતે ઘડાયો?
અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી મુખ્ય સૂત્રધાર મૌલનાની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ પુછપરછમાં દરમિયાન મૌલાનાનું કનેકશન ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે. મૌલાના સોશિયલ મીડિયાથી યુવકોને પ્રેરિત કરતો હતો. હત્યારો શબ્બીર મૌલાના ઐયુબને મળવા અનેકવાર જતો હતો અને કિશનની હત્યા કરવા માટે પ્લાનિંગ કરતાં હતા. ઐયુબ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો જે હત્યા કરવા માટે આપી હતી.
આરોપી અઝીમના ભાઈને મોરબીથી ઉઠાવાયો
બીજી તરફ ઘટનાની તપાસના ધમધમાટ વચ્ચે મોરબી પોલીસે મુખ્ય આરોપી અજીમને ઝડપી લેવા તેના ભાઈની કરી ધરપકડ કરી છે. કહેવાતી રીતે હથિયાર પૂરા પાડનાર અઝીમ ના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાને મોરબી B ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ વસીમને લઈને રવાના થઇ ગઈ છે.
ધાર્મિક સંગઠન /સંતો આગ બબૂલા
ગુજરાતમાં પડઘાયેલી બહુ ચર્ચિત હત્યાની ઘટના ધંધુકામાં બનતા અને વિધર્મી કનેક્શન બહાર આવતા જનતામાં આક્રોશ વ્યાપ્યો છે. મૌલવીઓની સંડોવણી અને દોરી સંચાર સાથે હત્યા માટે હથિયાર આપવા સુધીની અત્યાર સુધીની ઘટનાએ, હિંદુ ધર્મના સંતો- મહ્ન્તોનું લોહી ઉકળી ઉઠ્યું છે. ગઢડાના ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન સહીત સ્વામી સચ્ચિદ્દાનંદે પણ આક્રોશ ઠાલવ્યો છે.
રાજ્યમાં ધંધૂકાના ભરવાડ યુવકની હત્યા બાદ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે હિન્દુ ધર્મના સંતોની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં ગઢડાના ગોપીનાથજી મંદિરના પુર્વ ચેરમેન એસપી સ્વામીએ મૌલવીઓની કથિત સંડોવણીને પગલે મૌલવીઓ માટે ફાંસીની સજાની માંગ કરી હતી..આ સીવાય સ્વામી સચ્ચિદ્દાનંદે પણ મૌલવીઓ તરફ ઈશારો કરતાં જણાવ્યુ હતુ કે, મુસ્લીમોના યુવકોને ગેરમાર્ગે દોરતા લોકોને કડક સજા મળવી જોઈએ