મધ્યપ્રદેશના કટનીમાં ટનલ ડૂબવાથી ઘણા મજુરો કાટમાળમાં દબાઈ ગયા. શનિવારે રાત્રે લગભગ 7:30 વાગ્યાથી અકસ્માત થયો જેમાં મજુરો દબાઈ ગયા. અકસ્માતમાં 9 મજુરો દબાઈ ગયા હતા, જેમાંથી 7ને સુરક્ષિત બહાર કરાયા છે. અકસ્માતમાં સાતમાં મજુર નંદલાલ યાદવને રેસ્ક્યૂ ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા. મોતને માત આપીને નીકળેલા નંદલાલને લાઈક સપોર્ટ એમ્બ્યુલન્સમાં જીલ્લા દવાખાનામાં રવાના કરાયા. બે મજુરો હજુ પણ અંદર ફસાયેલ છે, જેમને રેસ્ક્યૂ કરવાની કોશિશો ચાલુ છે. કટનીથી SDRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલ છે. રાત્રે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ખુદ રેસ્ક્યૂ ઓપરેશનની મોનીટરિંગ કરતા રહ્યા. ગૃહ વિભાગના એસીએસ રાજેશ રાજોરા તથા અન્ય આલા અધિકારીએ પણ મંત્રાલય વાલાભ ભવનમાં બેસીને બચાવ કાર્યનું મોનીટરિંગ કર્યું.
કટનીના સ્લીમનાબાદમાં નર્મદા ઘાટી પરિયોજનાની ટનલની માટી ધંસી ગઈ. બરગીના ડાબા તટ પર નહેર માટે બની રહેલ અન્ડરગ્રાઉન્ડ ટનલના નિર્માણ દરમિયાન આ અકસ્માત થયો. રાષ્ટ્રીય રાજમાર્ગ 30 પર સ્લીમનાબાદમાં નિર્માણાધીન અન્ડરગ્રાઉન્ડ ટનલના નિર્માણ કાર્ય દરમિયાન અચાનક માટી ધંસી ગઈ. રાત્રે જ મોકા પર બચાવ કાર્ય પ્રારંભ થયું.
ટનલ નિર્માણ કાર્યમાં મજુરોના ફસાયા બાદ રાતભર ચાલેલ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન હજુ સુધી 7 મજુરોને જ બહાર કાઢવામાં આવ્યા છે. 2 મજુરો અંદર જ ફસાયા છે. રાત્રે 2:30 વાગ્યે ઈન્દ્રામણી કોલ તથા સવારે 4:૦૦ વાગ્યે વિજય કોલને કાઢવામાં આવ્યા છે. મજુરોને સકુશળ બહાર કાઢવામાં એનડીઆરએફની ટીમનો પરસેવો છૂટી રહ્યો છે.
ઘાયલોને તત્કાળ દવાખાને પહોંચાડવા માટે જબલપુર મેડિકલ હોસ્પિટલ તથા કટની જીલ્લા દવાખાના સુધી ગ્રીન કોરિડોર બનાવ્યો- કટનીથી SDRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલ છે. જાણકારી અનુસાર, અકસ્માતમાં 9 મજુરો કાટમાળમાં દબાઈ ગયા હતા. જેમાંથી 7ને રેસ્ક્યૂ કરાયા છે.
અહી એડવાંસ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. બહોરીબંધના વિધાયક પ્રણય પ્રભાત પાંડેય તથા ઓફિસર પણ મોકા પર પહોંચી ગયા હતા. જીલ્લા પ્રશાસન તથા પોલીસની ટીમ મોકા પર હાજર છે. કલેકટરે કહ્યું કે મજુર લગભગ 9 મીટર નીચે દબાયા છે. તેમનો અવાજ સંભળાઈ રહ્યો છે. અકસ્માતના શિકાર 8 મજુરો સિંગરોલીના રહેવાસી છે.