દેશભરમાં કોરોનાની ચાલી રહેલી નવી લહેરના કહેર વચ્ચે આજે આરોગ્ય મંત્રાલય તરફથી એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ
કેન્દ્રીય આરોગ્ય સચિવે આપી જાણકારી
રસીકરણ અભિયાનના બે મુખ્ય હેતુ છે : આરોગ્ય સચિવ
આ સિવાય રાજેશ ભૂષણે કહ્યું હતું કે ઘણા લોકો અમને કહી રહ્યા છે કે બધા માટે રસીકરણ શા માટે નથી ખોલી નખાતું- જો કે આ રસીકરણ અભિયાનના બે હેતુ છે કે મોતથી બચાવવું અને હેલ્થકેસ સિસ્ટમનું રક્ષણ કરવું, જે લોકોને જોઈએ છે રસી તેમને નહીં, પરંતુ જેમને જરૂર છે એમને રસી આપવી એ હેતુ છે.
Many people ask why shouldn't we open vaccination for all. There are two aims of such vaccination drives -- to prevent deaths & protect healthcare system. The aim is not to administer the vaccine to those who want it but to those who need it: Union Health Secy Rajesh Bhushan pic.twitter.com/FCqiW93qsG
એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોના મામલે નવી અપડેટ આપતા કહ્યું હતું કે દેશમાં 92 ટકા દર્દીઓ છે તે રિકવર થઈ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં લગભગ 1.3 ટકા દર્દીઓની મોત થયા છે, અને લગભગ 6 ટકા કેસ એવા પણ છે કે જે નવા છે અને હાલમાં જ સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાંથી 58 ટકા કેસ
કોવિડ મામલે વધુ જાણકારી આપતા આરોગ્ય સચિવે કહ્યું હતું કે કોરોનાના કુલ કેસોના લગભગ 58 ટકા કેસ મહારાષ્ટ્રમાંથી જ છે, કોરોનાથી મોતના મામલે પણ મહારાષ્ટ્ર જ (34%) સૌથી આગળ છે. વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અઠવાડિક સંક્રમણ દર પણ વધીને હવે 24 ટકા થઈ ગઈ છે, જે ચિંતાનો વિષય છે, મહત્વનું છે કે આની પહેલા આ રેટ ફેબ્રુઆરીમાં 6 ટકાએ પહોંચી ગયો હતો.
We have deployed 50 high-level multidisciplinary public health teams in Maharashtra, Chhattisgarh & Punjab. They will be going to 30 districts of Maharashtra, 11 districts of Chhattisgarh, & 9 districts of Punjab: Union Health Secretary Rajesh Bhushan pic.twitter.com/KbaSIzfQSa
દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને લઈને માહિતી આપતા કેન્દ્રીય સચિવે કહ્યું હતું કે ભારતમાં ગઈ કાલે રસીના કુલ; 43 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા,અને આના લીધે મંગળવાર સવાર સુધીમાં કુલ 8 કરોડ 31 લાખ લોકોનું રસીકરણ કરી શકાયું છે.
દેશના ચાર રાજ્યોમાં સૌથી વધુ પ્રભાવિત 10 જિલ્લાઓ
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે વધુંઆ કહ્યું હતું કે કોરોનાથી સૌથી વહુ ખરાબ રીતે પ્રભાવિત 10 જિલ્લાઓમાં છત્તીસગઢનું દુર્ગ પણ સામેલ છે, આ સિવાય મહરાષ્ટ્રના 7, કર્ણાટકનો એક અને દિલ્હી પણ સામેલ છે.
We have administered 43 lakh doses of COVID-19 vaccine in 24 hours yesterday, which is a record. As a result of today morning, we administered 8.31 crores doses of the vaccine: Union Health Secretary Rajesh Bhushan pic.twitter.com/gkhmWzaSIM
વધુમાં તેમણે કહ્યું હતું કે કોરોનાથી દૈનિક સૌથી વધુ કેસ અને મોતના મામલે જોઈએ તો મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં સૌથી વધુ ચિંતાજનક પરિસ્થિતિ બનેલી છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના કેસોની સંખ્યાએ કોહરામ મચાવી દીધો હતો, જો કે દૈનિક એક લાખનો રેકોર્ડ તોડયા પછી મંગળવારે આ મામલે નજીવો ઘટાડો નોંધાયો છે, મંગળવારે દેશમાં 96,982 કેસ નોંધાયા હતા અને 446 લોકોના મોત થયા હતા.