માંગરોળના નવાપુરા વિસ્તારમાં આવેલી એક કંપનીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ ફેલાયો હતો.મળતી માહિતી પ્રમાણે નવાપુરા વિસ્તારમાં આવેલી લાખાણી નામની કંપનીમાં બોઈલર લીકેજને લઈને આગ લાગી હતી.
જેમાં લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ખાક થઈ ગયો છે.જોકે સમગ્ર ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડની ત્રણ ટોળી ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે.જોકે આગ લાગવાની આ ઘટનામાં કોઈપણ પ્રકારનું જાનમાલનું નુકસાન થયું નથી.
ઉલ્લેખનીય છે કે લાખાણી કંપનીમાં આજરોજ અચાનક આગ લાગતા કામ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.જો કે આ ઘટનાની જાણ નજીકના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો.