રવિન્દ્ર જાડેજાએ આ મેચ બાદ વિરાટની કેપ્ટનશીપ વિશે એક મહત્વની વાત કહી વિરાટ સાથે છેલ્લા 10-12 વર્ષથી રમી રહ્યો છું, તે હંમેશા સકારાત્મક અને આક્રમક કેપ્ટન રહ્યો છે.
જાડેજાએ મેચ બાદ વિરાટની કેપ્ટનશીપ વિશે એક મહત્વની વાત કહી
વિરાટ કોહલી એક શાનદાર કેપ્ટન રહ્યો છે.
તે હંમેશા સકારાત્મક અને આક્રમક કેપ્ટન રહ્યો છે
જાડેજાએ મેચ બાદ વિરાટની કેપ્ટનશીપ વિશે એક મહત્વની વાત કહી
ટીમ ઈન્ડિયા ભલે T 20 વર્લ્ડકપ 2021માં સેમીફાઈનલમાં ન પહોંચી શકી હોય,પરંતુ ટીમ છેલ્લી ત્રણ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ અને જીતની હેટ્રિક લગાવી. ટીમ ઈન્ડિયાએ સોમવારે લીગ રાઉન્ડની છેલ્લી મેચ નામીબિયા સામે રમી અને નામીબિયાને 28 બોલ બાકી રહેતા 9 વિકેટે હકાવ્યું હતું. રવિન્દ્ર જાડેજાએ આ મેચ બાદ વિરાટની કેપ્ટનશીપ વિશે એક મહત્વની વાત કહી હતી. આ મેચમાં જાડેજાએ ચાર ઓવરમાં માત્ર 16 રન આપ્યા અને ત્રણ વિકેટ લીધી હતી.
વિરાટ કોહલી એક શાનદાર કેપ્ટન રહ્યો છે.
મેન ઓફ ધ મેચ રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, એક બોલર તરીકે મેં મેચનો આનંદ માણ્યો હતો,બોલ ડ્રાય હતો અને તે સ્પિનર માટે હંમેશા સારી વાત છે. કેટલાક બોલ ટર્ન કરી રહ્યાં હતાં. અને કેટલાક ન હતા, નહીં તો બેટ્સમેનને વારંવાર અનુમાન લગાવવું પડતું હતું. હું અશ્વિન સાથે 10 વર્ષથી રમું છું. તેણે આઈપીએલમાં સફેદ બોલથી સારો દેખાવ કર્યો હતો. તેથી તેને અહીં રમવાનો મોકો મળ્યો. વિરાટે એક શાનદાર કેપ્ટન રહ્યો છે.
તે હંમેશા સકારાત્મક અને આક્રમક કેપ્ટન રહ્યો છે
રવિન્દ્ર જાડેજાએ વધુમાં કહ્યું કે, વિરાટ સાથે સાથે 10-12 વર્ષથી રમી રહ્યો છું, તે હંમેશા સકારાત્મક અને આક્રમક કેપ્ટન રહ્યો છે. અને તમે એક ખેલાડી તરીકે તે જ ઈચ્છો છો. ભરત અરુણ, આર શ્રીધર અને રવિ શાસ્ત્રી અદ્દભુત હતાં. અને અમને ટેકો આપ્યો. આગળ જે પણ આવશે, અમે તેમની સાથે ગતિ જાળવી રાખવા માંગીએ છીએ. મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નામિબિયાએ 20 ઓવરમાં 8 વિકેટે 132 રન બનાવ્યા હતાં. જેના જવાબમાં ભારતે 15.2 ઓવરમાં એક વિકેટના નુક્સાને 136 રન બનાવીને મેચ જીતી લીધી હતી.