છોટા ઉદેપુર જિલ્લાના એક નાનાકડા ઝેર નામના ગામમાં આપઘાતનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક પતિએ પત્ની ઉપર આરોપો કર્યા અને પછી મોત વહાલુ કહ્યુ છે.
શું છે આપઘાતનું કારણ
બે બાળકોના પિતાએ કેમ ભર્યુ અંતિમ પગલુ
વીડિયોમાં શું કહે છે વિજય?
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં પતિ-પત્નીનો ઘરકંકાસ આખરે આપઘાતમાં પરિણમ્યો હોવાનું સામે આવ્યું છે.
શું છે આપઘાતનું કારણ
ઘર હોય તો બે વાસણ ખખડે પણ ખરા પણ ઘણી વાર આ ઘરકંકાસ દંપત્તીઓના જીવ પણ લઈ લેતો હોય છે આવું જ કંઈક બન્યુ છે. ઝેર ગામમાં રહેતા વિજયભાઈ શાંતિલાલ રાઠવા કાઠિયાવાડ મજૂરી કામ કરતા હતા, ત્યારે તેમની પત્ની રિસાઈને તેના પિયર નસવાડી તાલુકાના છકતર ઉમરવા ગામમાં આવી ગઈ હતી. વિજયભાઇના બે સંતાન છે, જેમાં 4 વર્ષની પુત્રી એંજલ અને દોઢ વર્ષનો પુત્ર સ્વરજકુમાર છે, ત્યારે વિજયભાઈ પોતાની પત્નીને તેડવા પત્નીના પિયરમાં ગયા હતા, પરંતુ, તેમની પત્ની આવી નહોતી અને વિજયભાઈને માર માર્યો હતો.
શું કહ્યું વીડિયોમાં
વીડિયોમાં યુવાને જણાવ્યું હતું કે, મારી સાથે પત્નીએ દગો કર્યો છે, 'મારી ઘરવાળી અવળા ધંધા કરતી હતી, તેણે દગો કર્યો છે, એટલે હું આત્મહત્યા કરું છું' એટલે હું આત્મહત્યા કરું છું, અને મારું આત્મહત્યા કરવાનું કારણ ફક્તને ફક્ત મારી ઘરવાળી છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેવું આત્મહત્યા કર્યાં પહેલા વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
શું કહે છે પોલીસ
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક વિજયભાઈના પિતા શાંતિલાલ રણછોડભાઇ રાઠવા નસવાડી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ આપી હતી. હવે નસવાડી પોલીસે આગળની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.