અમદાવાદમાં એક કાળજુ કંપાવી દે તેવી આપાઘાતની ઘટના ઘટી છે. એક પુરૂષે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આવો જાણીએ શું છે ઘટના
અમદાવાદના ઘાટલોડિયામાં પુરૂષનો આપઘાત
પાંચમા માળેથી સળગી જઈને ઝંપલાવ્યું
આપઘાતનું કારણ અકબંધ
અમદાવાદના ઘાટલોડિયામાં એક વ્યકિતના આપઘાતની ઘટના સામે આવી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર આ વ્યક્તિએ પહેલા પોતાની જાતને આગ લગાવી હતી અને પછી બળતરા સહન ન થતા. પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી હતી.
સળગી જઈને પાંચમા માળેથી ઝંપલાવ્યું
અમદાવાદના ઘાટલોડિયાના સમર્પણ ટાવરની આ ઘટના છે. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. હજુ સુધી આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સ્થાનિકોમાં એ વાતની ચર્ચાએ જોર પકડ્યુ છે કે કોઈ આટલી ક્રૂર રીતે પોતાની જાતને કેવી રીતે મારી શકે?