માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણને માખણ ખૂબ જ પ્રિય છે અને તમે તેને ઘરે સરળતાથી પ્રસાદ માટે તૈયાર કરી શકો છો. માખણ અને મિસરીનો ભોગ ધરવાથી કાન્હાજી પ્રસન્ન થાય છે.
ઘરે બનાવી લો સફેદ માખણ
સરળ રેસિપિની મદદથી તૈયાર કરો કાન્હાનો પ્રસાદ
જન્માષ્ટમીએ કાન્હાને ઘરાવો આ ખાસ ભોગ
ભગવાન કૃષ્ણનો જન્મદિવસ આવી રહ્યો છે તો ભક્તો તૈયારીઓમાં લાગી ચૂક્યા છે. તેમને પ્રેમથી માખણ ચોરના નામે પણ ઓળખવામાં આવે છે. પંચાગ અનુસાર કૃષ્ણ પક્ષની અષ્ટમીએ તેમનો જન્મ થયો હતો અને આ દિવસથી તે દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે. જન્માષ્ટમીને થોડા દિવસનો સમય બાકી છે ત્યારે આ ખાસ દિવસે તેમની પસંદનો ભોગ માખણ અને મિસરીને બનાવવાની તૈયારી કરી લેવી જરૂરી છે. સરળતાથી ભગવાન કૃષ્ણને પ્રિય એવા આ ભોગની તૈયારી તમે કરી શકો છો.
આ રીતે ઘરે બનાવો માખણ અને મિસરીનો ભોગ
સફેદ માખણને ઘરમાં બનાવવા માટે સૌથી પહેલા દૂધની મલાઈને એક વાટકીમાં કાઢી લો અને હવે એક મોટો બાઉલ લઈને તેમાં વલોણીની મદદથી કે બ્લેન્ડરની મદદથી તેને ફેંટો. થોડા સમય બાદ તેમાં મલાઈ ઘટ્ટ થતી જોવા મળશે. આ સમયે પણ તમે પ્રોસેસ ચાલુ રાખો. થોડા સમય પછી માખણ અને દૂધનું પાણી અલગ જોવા મળશે. આ પછી સફેદ માખણને અલગ વાટકીમાં કાઢી લો. તેમાં તમે મિસરીના દાણા મિક્સ કરી લો. આ રીતે તમે સરળતાથી ઘરે જ માખણ ચોર માટે માખણ મિસરીનો ભોગ બનાવી શકશો.
આ છે સફેદ માખણના ફાયદા
સામાન્ય રીતે બજારમાં પીળા રંગનું માખણ મળે છે. તેમાં મીઠું પણ મિક્સ કરાય છે. પીળાને બદલે સફેદ માખણને લાભદાયી માનવામાં આવે છે. વ્હાઈટ બટર ગળામાં આવતા સોજામાં પણ રાહત આપે છે. પીળું બટર બ્લડ પ્રેશરના દર્દીઓને પસંદ આવતું નથી. ભગવાનને તમે આ ભોગ રોજ ચઢાવી શકો છો અને પછી તમે તેને ખાઈ લેશો તો હાર્ટની બીમારીનો ખતરો ઓછો રહે છે. બાળકોને સફેદ માખણ ખવડાવવાથી તેમનું મગજ ફાસ્ટ ચાલે છે. આ સાથે આંખોનું તેજ પણ વધે છે.હાડકા મજબૂત થાય છે અને સાંધાના દર્દમાં ફાયદો થાય છે. પીળું માખણ સફેદ માખણની સરખામણીએ ટ્રાંસ ફેટ ફ્રી હોય છે. તેનાથી વજન વધવાનો ખતરો ઓછો રહે છે.