હળદર ખૂબ ગુણકારી હોય છે અને માત્ર થોડી જ હળદરનું સેવન કરવાથી રોગોને દૂર કરી શકાય છે. હળદરનું સેવન જો ગરમ પાણી સાથે કરવામાં આવે તો ઘણા રોગ દૂર થાય છે. ઘણા લોકો સવારમાં ઉઠીને ખાલી પેટ ગરમ પાણી અને હળદરનું સેવન એક સાથે કરે છે. પણ જો હૂંફાળા પાણીમાં હળદર મિક્સ કરીને પીવામાં આવે તો એક -બે નહીં અઢળક ફાયદા થાય છે. જાણો કઈ રીતે બનાવશો આ હૂંફાળું પાણી.
આ રીતે બનાવો હળદરનું હૂંફાળું પાણી
1 ગ્લાસ ગરમ પાણી લઈને એમાં અડધી ચમચી હળદર નાંખો. હવે હળદરને સારી રીતે મિક્સ કરી લો. તમે ઈચ્છો તો તેમાં મધ પણ મિક્સ કરી શકો છો. ગરમ પાણી અને હળદરનું સેવન સવારમાં જ કરવામાં આવે તો ફાયદારૂપ ગણાય છે.
કબજિયાત થશે દૂર
ગરમ પાણી અને હળદર પાચન ક્ષમતાને વધારે છે. નિયમિત રોજ સવારે ગરમ પાણી અને હળદરને એક સાથે લેવાથી પાચન પર સકારાત્મક અસર થાય છે. પાચન તંદુરસ્ત બને છે અને લોકોની તકલીફ દૂર થાય છે.
ડાયાબિટીસ રહે છે કંટ્રોલમાં
ગરમ પાણી અને હળદર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ લાભદાયી છે. હળદરવાળું પાણી પીવાથી ડાયાબિટીસ હંમેશા કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસ આવે ત્યારથી જ રોજ સવારે 1 ગ્લાસ આ પાણી પીવું જરૂરી છે.
લોહી કરે છે સાફ
ગરમ પાણી અને હળદર લોહીને સાફ કરવામાં અસરકારક સાબિત થાય છે. હળદર વાળું પાણી પીવાથી લોહીની અશુદ્ધિઓ સાફ થાય છે. તેનાથી સ્કીન ગ્લોઈંગ બને છે અને જો ખીલની સમસ્યા રહેતી હોય તો પણ લાભ થાય છે.
શરીરના સોજા ઘટે છે
જો તમને સોજાની સમસ્યા રહે છે તો હળદરવાળું ગરમ પાણી લાભદાયી રહે છે. હળદરમાં કરક્યુમીન નામનું તત્વ હોય છે, જેનાથી સોજા અને તેના કારણે થતા દુઃખાવવામાં રાહત મળે છે.
ડિટોક્સને કરે છે દૂર
હળદરનું હૂંફાળું પાણી પીવાથી શરીરની અશુદ્ધિઓ દૂર થાય છે અને સાથે જ તમે હેલ્ધી લાઈફ જીવી શકો છો.
વજન ઘટાડવામાં કરે છે મદદ
વજન ઓછું કરવા માટે હળદરનું હૂંફાળું પાણી લાભકારી છે. રોજ સવારે ગરમ પાણી સાથે હળદર ખાવી અથવા તો આ પ્રકારનું પાણી પીવું. આમ કરવાથી વજન ઝડપથી ઘટવા લાગે છે. તમે ઈચ્છો તો આમાં મધ પણ ઉમેરી શકો છો.
મગજ માટે ફાયદાકારક
હળદરને મગજ માટે ખૂબ ફાયદારૂપ ગણવામાં આવે છે. તેના નિયમિત ઉપયોગથી અલ્ઝાઈમર્સનો ખતરો ઘટે છે. નાના બાળકોને રોજ સવારે નિયમિત રીતે હળદરનું હૂંફાળું પાણી આપવું લાભદાયી છે.
ત્વચામાં લાવે છે ચમક
હૂંફાળું હળદરવાળું પાણી પીવાથી ત્વચામાં ચમક પણ આવે છે. સાથે જ આંખોની નીચેના ડાર્ક સર્કલ્સમાં પણ ફાયદો મળે છે.
આ વ્યક્તિઓએ ન કરવું સેવન
ગર્ભવતી મહિલાઓએ હૂંફાળા હળદરના પાણીનું સેવન ન કરવું જોઈએ. તે મહિલાઓને નુકસાન કરી શકે છે. સાથે જ જે લોકોને ગેસની સમસ્યા રહે છે તેઓએ પણ આ પાણીનું સેવન કરવાનું ટાળવું જોઈએ.