ઉત્તરાયણને અનેક નામે ઓળખાય છે. કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન, વ્રત, કથા, પૂજા અને દાનનું ખાસ મહત્વ હોય છે. આ સાથે સૂર્ય ભગવાનની પૂજા પણ અપાર ફળદાયી બની છે. આજનું દાન અક્ષયદાન માનવામાં આવે છે. આજે ભગવાનને ખીચડીનો ભોગ ઘરાવવાની પરંપરા છે. તો જાણો આજનું શુભ મૂહૂર્ત અને કરો પૂજા અર્ચના.
આજે ઉત્તરાયણનો તહેવાર
સ્નાન, દાન અને પૂજાનું છે ખાસ મહત્વ
આજે મકર રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય
આજના દિવસથી સૂર્યનું ઋતુ પરિવર્ન પણ થશે. મકર સંક્રાંતિના દિવસથી શિયાળો ખતમ થાય છે અને વસંતની શરૂઆત થાય છે. આ વર્ષે ઉત્તરાયણે વિશેષ યોગ બની રહ્યો છે. કેમ કે આજે પાંચ ગ્રહ સૂર્ય, શનિ, ગુરુ, બુધ અને ચંદ્ર મકર રાશિમાં બિરાજમાન થઈ રહ્યા છે.
જાણો સ્નાન, દાનનું શુભ મૂહૂર્ત
આજે ઉત્તરાયણ સવારે 8.30 મિનિટે શરૂ થશે. જ્યોતિષના અનુસાર આ સારો સમય છે. સમસ્ત શુભ કાર્યોની શરૂઆત આ સંક્રાંતિ પછી કરી શકાશે. પુણ્ય કાળનું મૂહૂર્ત 8.30થી લઈને સાંજે 5.46 મિનિટ સુધી રહેશે. આ સિવાય મહા પુણ્ય કાળનું મૂહૂર્ત 8.30થી 10.15 મિનિટ સુધીનું રહેશે. સ્નાન અને દાન દક્ષિણા જેવા કામ આ સમયે કરી શકાય છે.
પુણ્ય કાળનું મૂહૂર્ત 8.30થી લઈને સાંજે 5.46 મિનિટ સુધી
મહા પુણ્ય કાળનું મૂહૂર્ત 8.30થી 10.15 મિનિટ સુધી
આજે શું કરવું જેથી પુણ્ય મળે
આજે પ્રાતઃ સ્નાન કરીને એક લોટામાં લાલ ફૂલ અને ચોખા ઉમેરો અને સૂર્યને અર્ધ્ય આપો. સૂર્યના બીજ મંત્રનો જાપ કરો. શ્રીમદ ભગવતના એક અધ્યાયનો પાઠ કરીને ગીતાનો પાઠ કરો. નવા અનાજ, કામળા, તલ અને ઘી તથા ગોળનું દાન કરો. ભોજનમાં ખીચડી બનાવો. ભોજન ભગવાનને સમર્પિત કર્યા બાદ પ્રસાદ રૂપે ગ્રહણ કરો. સંધ્યા કાળે અન્નનું સેવન ન કરો. કોઈ ગરીબ વ્યક્તિને વાસણમાં તલનું દાન કરવાથી શનિની સાથેની સમસ્યાઓથી પણ રાહત મળે છે. આજના દિવસે દાન કરવાથી કિસમ્ત બદલાઈ જાય છે. ખુશી અને સમૃદ્ધિનું પ્રતીક ઉત્તરાયણના દિવસે પુણ્ય કાળમાં દાન શુભ માનવામાં આવે છે. સ્નાન કરવું પણ શ્રાદ્ધ કરાય્ કરવું શુભ છે. આજે ગંગા સ્નાનનો વિશેષ મહિમા છે.
ખીચડી સિવાય તલનું પણ છે આજે ખાસ મહત્વ
ઉત્તરાયણના દિવસે ફક્ત ખીચડી નહીં, તલના દાનનું પણ ખાસ મહત્વ છે. આ સીઝનમાં પરિવર્તનનો સમય છે. એવામાં તલનો પ્રયોગ લાભદાયી બને છે. સાથે મકર સંક્રાંતિ સૂર્ય અને શનિના લાભ લેવાનો ખાસ દિવસ પણ ગણાય છે.