ગણતરીની મિનિટો પહેલા જ કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી અને હવે.......
ધોરાજી બેઠકના ભાજપના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
2017માં કોંગ્રેસને પાટીદાર અનામત આંદોલનનો મળ્યો હતો લાભ- મહેન્દ્ર પાડલીયા
આ વખતે ભાજપની થશે જીત- મહેન્દ્ર પાડલીયા
આ હારને હું 100 ટકા સ્વીકારું છું - લલિત વસોયા
ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. આ દરમ્યાન હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, ધોરાજી બેઠક ઉપર ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાની જીત થઈ છે. જોકે અહીં નોંધનીય છે કે, ગણતરીની મિનિટો પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ હાર સ્વીકારી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 182 બેઠકોના વલણ સામે આવ્યા છે. જેમાં ભાજપ 146, કોંગ્રેસ 26, AAP 6 અને 4 બેઠકો પર અન્ય આગળ ચાલી રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામની ગણતરી થઇ રહી છે સૌરાષ્ટ્રની ધોરાજી બેઠક પર કોંગ્રેસની હાર થઈ છે અને ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાની જીત થઈ ગઈ છે. આ બધા વચ્ચે લલીત વસોયાએ એક નિવેદન આપ્યું છે.
શું કહ્યું ભાજપના ઉમેદવારે ?
ધોરાજી બેઠકના ભાજપના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતી. મહેન્દ્ર પાડલીયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પાટીદાર અનામત આંદોલનનો લાભ મળ્યો હતો.આ વખતે ભાજપની જીત થશે.
આ હારને હું 100 ટકા સ્વીકારું છું - લલિત વસોયા
182 બેઠકોના વલણ પર જ્યાં ભાજપ જંગી જીત હાંસલ કરશે એવું દેખાઈ રહ્યું છે એ જોઇને કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા કહ્યું કે, 'આપ કોંગ્રેસને ડેમેજ કરી રહી છે, જો કોંગ્રેસ અને આપના મતનો સરવાળો કરી તો ભાજપથી વધારે થાય છે. આપ ભાજપની જ બી ટીમ છે અને એ કારણે જ મતનું વિભાજન થયું. આપનની એન્ટ્રીને કારણે કારણે જ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની હાર થઈ રહી છે અને આ હારને હું 100 ટકા સ્વીકારું છું.'