મધ્યપ્રદેશના વિદિશાના ગંજબાસોદા વિસ્તારમાં 15 લોકો કૂવા પડી જતા ભોપાલથી NDRF ની ટીમોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
મધ્યપ્રદેશના વિદિશાના ગંજબાસોદા વિસ્તારમાં મોડી રાતે મોટી દુર્ઘટના
15 લોકો કૂવા પડતા ખળખભાટ મચ્યો
કૂવામાં પડેલા એક બાળકને બચાવતી વખતે દુર્ઘટના બની
ભોપાલથી NDRF ની ટીમોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી
કૂવામાં પડેલા એક બાળકને બચાવતી વખતે દુર્ઘટના બની
કૂવામાં પડેલા એક બાળકને બચાવતી વખતે આ લોકો અચાનક કૂવામાં પડી ગયા હતા. કૂવાની આજુબાજુ લોકોનો એટલો મોટો ધસારો થયો હતો કે કૂવાની પાળી તૂટી ગઈ અને તેને કારણે લોકો કૂવામાં ખાબક્યાં.
ખુદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને ભોપાલથી ઘટનાસ્થળે રવાના કરી દેવાઈ છે. જિલ્લા કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે છે. સંરક્ષક મંત્રી વિશ્વાસ સારંગને પણ ઘટનાસ્થળે પહોંચવાનો આદેશ આપ્યો છે.
गंजबासौदा में धंसने से कुएं में अनेक लोगों के गिरने की घटना दुर्भाग्यपूर्ण है। राहत व बचाव कार्य हेतु एनडीआरएफ और एसडीआरएफ की टीम, कमिश्नर, आईजी रवाना हो गये।