અમરેલીના લાઠીના હરિકૃષ્ણ સરોવર ખાતે ગાંધીજીની પ્રતિમા ખંડિત કરાઇ છે. અસામાજિક તત્વો દ્વારા ગાંધીજી પ્રતિમા ખંડિત કરતા લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે. જોકે પ્રતિમા કોણે તોડી આ વિશે હજુ જાણકારી મળી શકી નથી. ત્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
લાઠીના હરિકૃષ્ણ સરોવર ખાતે ગાંધીજીની પ્રતિમા કરાઇ ખંડિત
અસામાજિક તત્વો દ્વારા ગાંધીજી પ્રતિમા ખંડિત કરાઇ
પોલીસે તપાસ હાથ ધરી
લાઠીના અકાળા રોડ પર આવેલ હરિકૃષ્ણ સરોવરમાં બ્યુટીફીકેશન માટે મહાત્મા ગાંધીની મૂર્તિને લાગવવામાં આવી હતી. જેને અસમાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવતા લોકો દ્વારા રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બનતા ચેમ્બર ઓફ કોમર્સ, ખેડૂત સંગઠનો સહિત મોટી સંખ્યામાં ગામ લોકોનો કાફલો પોલીસ સહિત સરોવર પહોંચ્યો હતો.
એક અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રતિમા 2018માં હરિકૃષ્ણ સરોવર પાસે સ્થિત એક ઉદ્યાનમાં લાગેલી હતી. સરોવર સુરતના હીરા વેપારી સવજી ધોળકીયાના ધોળકીયા ફાઉન્ડેશને બનાવી હતી અને તેનું સૌન્દર્યકરણ કર્યું હતું. સરોવરનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2017માં કર્યું હતું.
Gujarat: A statue of Mahatma Gandhi near Hari Krishna lake in Amreli district vandalised by unidentified persons, last night. A case has been registered. pic.twitter.com/UL3PxNWBQq
લાઠી પોલીસ સ્ટેશનના અધિકારી વાઈ.પી. ગોહિલે જણાવ્યું કે, ઘટના કાલે રાત્રે બની હતી. આરોપીઓની ઓળખ અને તેમની ધરપકડના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તે લોકોનું કામ હોઇ શકે છે જે સરોવરના નિર્માણથી નાખુશ હતા અથવા તો અસામાજિક તત્વોનું કામ હોઇ શકે છે.