ભગવાન ભોલેનાથની પૂજાનો સૌથી ખાસ દિવસ એટલે મહાશિવરાત્રિ. આ વર્ષે 21 ફેબ્રુઆરીએ આ તહેવારની ઉજવણી કરવામાં આવશે. શિવજીને પ્રસન્ન કરવા માટે ભક્તો ભાંગ અને ધતૂરા સાથે તેમની પૂજા કરે છે. પણ તેની પાછળનું કારણ ભાગ્યે જ કોઈ જાણતું હશે. તો જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ.
21 ફેબ્રુઆરીએ ઉજવાશે મહાશિવરાત્રિનો તહેવાર
ભગવાન ભોલેનાથને પસંદ છે ભાંગ અને ધતૂરો
મહાશિવરાત્રિએ શિવજીને અચૂક ચઢાવો આ ચીજો
વૈજ્ઞાનિક કારણ
વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ભગવાન શિવને કૈલાશ પર્વત પર રહેનારા ગણવામાં આવી રહ્યા છે. આ અત્યંત ઠંડો પ્રદેશ છે અહીં જેવા આહાર અને ઔષધિની જરૂર છે તે શરીરને ગરમી આપે છે. વૈજ્ઞાનિક રીતે ભાંગ અને ધતૂરો યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો તે દવાનું કામ કરે છે અને શરીરને ગરમી આપે છે.
શિવજીના ભાંગ ખાવા પાછળ છે આ ધાર્મિક કારણ
ધાર્મિક રીતે તેનું કારણ દેવી ભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે. આ પુરાણ અનુસાર શિવજીએ જ્યારે સાગર મંથનથી નિકળ્યા અને હળાહળ વિષ પીધું. અશ્વિની કુમારોએ ભાંગ, ધતૂરો, બેલ વગેરે ઔષધિઓથી શિવજીની વ્યાકુળતા દૂર કરી. આ સમયે શિવજીને ભાંગ અને ધતૂરો પ્રિય છે. જે પણ ભક્ત શિવજીને ભાંગ અને ધતૂરો અર્પણ કરે છે શિવજી તેની પર પ્રસન્ન થાય છે.