બહુચર્ચિત ભીમા કોરેગાંવ હિંસા (એલગાર પરિષદ) મામલાની તપાસ NIA ને સોંપવામાં આવ્યાં બાદ NCP અને શિવસેના વચ્ચે જાણે મતભેદ વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. ગઇકાલે NCP સુપ્રીમો શરદ પવારે વાય. બી. ચૌવ્હાણ સેન્ટરમાં NCP ના મંત્રીઓની બેઠક બોલાવી હતી.
શરદ પવારે SIT ગઠન કરી આ મામલે તપાસ કરાવાના નિર્દેશ આપ્યાં
NCP અને શિવસેના વચ્ચે જાણે મતભેદ વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે
શરદ પવારે NCP ના મંત્રીઓની બેઠક બોલાવી હતી
જેમાં અલગથી SIT ગઠન કરી આ મામલે તપાસ કરાવાના નિર્દેશ આપ્યાં છે. આ બેઠક બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું કે રાજ્ય સરકાર ભીમા કોરેગાવ હિંસાની સમાન્તર તપાસ કરાવશે. આ સંબંધમાં જલ્દી SIT ની રચના કરવામાં આવશે.
ભીમા કોરેગાંવ હિંસા મામલે તપાસ NIA ને સોંપવામાં આવતા NCP પ્રમુખ શરદ પવાર નાખૂશ હતા. આ મામલે તપાસ માટે SIT ની રચના કરવા જણાવ્યું હતું. શરદ પવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર પણ લખ્યો હતો, પરંતુ આ વચ્ચે 24 જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકારે આ મામલે તપાસ NIA ને સોંપી દીધી.
અંદાજે બે અઠવાડીયા બાદ NCP સુપ્રીમો શરદ પવારને નજરઅંદાજ કરી ઉદ્ધવ ઠાકરે જણાવ્યું કે આ મામલે તપાસ NIA ને સોંપવામાં સરકારને કોઇ મુશ્કેલી નથી બીજા દિવસે પૂણાના સત્ર ન્યાયાયલે આ મામલો મુંબઇના વિશેષ NIA કોર્ટના હવાલે કરવાનો આદેશ કરી દીધો. જેને લઇને શરદ પવાર ઘણા નારાજ જોવા મળ્યા હતા.
સરકારના નિર્ણયને પડકાર
ભીમા કોરેગાવ હિંસાની તપાસ NIA ને સોંપ્યા બાદ મહારાષ્ટ્રમાં કિંગમેકર બનેલા શરદ પવારને ઝટકો લાગ્યો હતો. જેને લઇને શિવેસના પર પલટવાર કરવા માટે NIA ની સમાંતર તપાસ યોજના બનાવી. આમ આ એક રીતે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારના નિર્ણયને પડકાર માનવામાં આવી રહ્યો છે. જ્યારે NCP ના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે NIA ની ધારા 10 હેઠળ તપાસ માટે અલગ સમિતિ ગઠન કરી શકાય છે.