મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 2 મંત્રીઓના વિભાગમાં બદલાવ કર્યો છે. હવે છગન ભૂજબલ પાસેથી જળ સંશાધન અને લાભ ક્ષેત્ર વિકાસ ખાતૂ છિનવીને જયંત પાટીલને આપી દેવાયું છે. કેટલાક દિવસો પહેલા જ સમાચાર આવ્યા હતા કે જયંત પાટીલ એ વાતથી નારાજ હતા કે તેઓને ઓછુ મહત્વપૂર્ણ ખાતૂ કેમ આપવામાં આવ્યું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 2 મંત્રીઓના વિભાગમાં બદલાવ કર્યો
છગન ભૂજબલ પાસેથી જળ સંશાધન અને લાભ ક્ષેત્ર વિકાસ ખાતૂ છિનવીને જયંત પાટીલને અપાયું
જયંત પાટિલે આ વિષય પર અપ્રત્યક્ષ રૂપે પોતાની નારાજગી દર્શાવી હતી
કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે જયંત પાટિલે આ વિષય પર અપ્રત્યક્ષ રૂપે પોતાની નારાજગી દર્શાવી હતી. પરંતુ જયંત પાટીલની નારાજગીના સમાચાર સામે આવ્યા બાદ માત્ર 48 કલાકોની અંદર જ ઉદ્ધવ ઠાકરેએ મંત્રીઓ વચ્ચેના વિભાગોમાં ફેરબદલ કરી છે.
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર બન્યા બાદ જ્યારે કેબિનેટમાં સામેલ ધારાસભ્યોની વચ્ચે વિભાગોની વહેંચણી કરવામાં આવી ત્યારે જયંત પાટીલની પાસે નાણા વિભાગ, નિયોજન, ગૃહ વિભાગ, સ્વાસ્થ્ય, સહકાર અને વ્યાપાર, અનાજ આપૂર્તિ, ગ્રાહક સંરક્ષણ, લઘુમતિ વિભાગ મંત્રાલય હતું.
જ્યારે છગન ભૂજબલ પાસે ગ્રામ વિકાસ, જળ સંપત્તિ, સામાજિક ન્યાય, સ્કિલ ડેવલપમેન્ટ, અન્ન અને ઔષધિ વિભાગની જવાબદારી હતી. જયંત પાટીલ એ વાતથી નારાજ હતા કે તેમની પાસે નાણા મંત્રાલય ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ વિભાગ નથી. પરંતુ હવે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જયંત પાટીલની નારાજગી દૂર કરવાની કોશિશ કરી છે.
જે હેઠળ જળ સંસાધન અને લાભ ક્ષેત્ર વિકાસ વિભાગ છગન ભૂજબલથી પાછુ લઇને જયંત પાટીલને આપી દેવામાં આવ્યું છે. જ્યારે લઘુમતિ વિકાસ અને કલ્યાણ વિભાગ છગન ભૂજબલને આપવામાં આવ્યું છે. મંત્રીઓ વચ્ચે વિભાગોની આ ફેરબદલ સંબંધિત મુખ્યમંત્રીના પ્રસ્તાવને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મંજૂરી પણ આપી દીધી છે.
નોંધનીય છે કે, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર વિકાસ અઘાડીને નેતૃત્વ કરી રહ્યા છે. ગત 28 નવેમ્બરે ઉદ્ધવ ઠાકરેએ 6 મંત્રીઓની સાથે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.